Book Title: Pathik 2003 Vol 43 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 114
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વગરના પત્રમાં લખે છે કે ‘મારી તબિયત હવે ઠીક છે.મોટી મુસાફરીની આ ફેરે ટિકિટ લીધી'તી પણ હાલ તો ગાડી ચાલી ગઈ; હવે જ્યારે મળે ત્યારે ખરી. છેલ્લાં વર્ષોમાં એક વખત કાઠિયાવાડમાં જૂનાગઢ જવા ઇચ્છતા હતા. ૧૮૮૪ના ડિસેમ્બરના એક કાગળમાં લખે છે કે ‘કાઠીઆવાડ આવશે કે નહિ એ કહી શકાતું નથી.મારી મરજી છે કે સ્વદેશને એક વખત સલામ કરી જવી. ઇશ્વરેચ્છા. આવીશ ત્યારે લખીશ', પણ ૧૮૮૫માં જઈ શક્યા હોય એમ લાગતું નથી. પછી ઇ.સ. ૧૮૮૬ નવેમ્બરની ૨૮મી તારીખે લખે છે કે ‘મારા ભાઈની તબિયત માટે હરિદત્તનો કાગળ આવ્યો છે. વાંચી ઉદાસી ઘણી રે છે. મારું શરીર સારું નથી તો પણ જૂનાગઢ જવાને ધારું છું. પછી જે બને તે ખરું. અવસાન પહેલાં બે મહિનાથી પોતાનો અન્ત હવે પાસે છે, એવું ભગવાનલાલને સૂજી ગયું હતું. ‘થોડાં અઠવાડિયાં જ હવે બાકી છે' એમ એમણે પોતે રાવબહાદુર ભીમભાઈ કીરપારામ સાથે ઝવેરીલાલ ઇ.સ. ૧૮૮૮ના ફેબ્રુઆરીમાં ભગવાનલાલને જોવા ગયેલા, ત્યારે કહ્યું હતું. મિત્રોના મળવા આવવાથી એમને ઠીક લાગતું. વાર્તાલાપમાં એટલો વખત પોતાની પીડાને તેઓ ભૂલી જતા અને એમનું વિક્ષુબ્ધ મન જરા પ્રફુલ્લિત થતું. ઝવેરીલાલ લખે છે કે ‘અમે ગયા ત્યારે તેઓ તકીઆઓને અઢેલીને જૈન તીર્થંકર પેઠે ધ્યાનમુદ્રામાં બેઠા હતા.' તેઓ ખૂબ દૂબળા થઈ ગયા હતા. એમને શોથ (ડ્રોપસી) રોગ થયો હતો. પેટ ઘણું જ વધી ગયેલું. અને પગે સોજા હતા. તેઓનો શ્વાસ રોકાતો હતો છતાં ક્ષત્રપવંશ વિશે પોતાના છેલ્લા વિચારો વિઠ્ઠલજી કેશવજી વેને લખાવતા હતા. પંડિતજી ગુજરાતીમાં કહેતા હતા અને વિઠ્ઠલજી અંગ્રેજીમાં લખી લેતા હતા. જે ભાગ લખાઈ ગયો હતો તે દર્શાવીને પંડિતજીએ કહ્યું કે કહ્યું કે ‘ભારતીય પુરાતત્ત્વવિદ્યાને આ મારું છેલ્લું અર્પણ છે. ક્ષત્રપ સિક્કાઓ અને લેખોના છવીશ વર્ષના ચાલુ તથા સાવધાન અભ્યાસથી જે વિચારો મેં બાંધ્યા છે તે આમાં ઉતાર્યા છે. આ લખાણને પુરાતત્ત્વવિદ્યા તરફના મારાં ઋણ તરીકે હું ગણું છું. અને હવે એ લગભગ પૂરું થવા આવ્યું છે ત્યારે સાહિત્યપ્રવૃત્તિની જે અનેક યોજનાઓ ઉ૫૨ મારું ચિત્ત વર્ષોથી ભમતું હતું અને અવકાશ તથા સ્થિરતાની પ્રવૃત્તિ થાય એટલાની જ મૂર્તરૂપ પામવા માટે જેને જરૂર હતી તે સર્વમાંથી આ એક માટેનું ઋણ હું ચુકવી શકવાની સ્થિતિમાં છું એ જ્ઞાનથી મને ઓછું આશ્વાસન નથી મળતું.' વિદ્વાન મિત્રોના અભિપ્રાયો : ભગવાનલાલના પોતાના આ શબ્દોના અનુસંધાનમાં કૅમ્પબેલના નીચેના શબ્દો વાંચવા જેવા છે. ૨૪મી ફેબ્રુઆરી (ઈ.સ. ૧૮૮૮)ના ભગવાનલાલ ઉપરના પત્રમાં કૅમ્પબેલ લખે છે કે ‘તમારી જિંદગીનો અન્ત પાસે છે એ વિચારથી દિલગીરી થાય છે. આટલાં વર્ષો સુધી ગરીબ દર્દીઓને સાજા કરવાના કાર્યમાં તમે પૈસાનો તથા સમયનો જે વ્યય કર્યો છે તેથી, તમારાં છેલ્લાં લખાણો છપાઈ ગયાં હોત તો એને જોઈને તમને જે આશ્વાસન મળત તે કરતાં વધારે, આશ્વાસન મળશે. તમે કેટલું બધું જાણો છો તે દર્શાવવા આટલું થોડું રહેશે એ જાણીને મને ઘણો ખેદ થાય છે, તમે ગૅઝેટિયરને જે મોટી મદદ કરી છે તેના બદલામાં હું આટલી ઓછી મદદ તમને કરી શક્યો છું એ જોઈને પણ મને ઘણું દુઃખ થાય છે. હું તમારી વધારે નજીકમાં હોત અથવા ઓછો કામમાં રોકાયેલો હોત તો કાંઈક કરી શક્યો હોત. તમારા પરિશ્રમથી ગેઝેટિયરને ફાયદો થતો હતો એ વિચારથી દબાણ કરવું કે રોકી રાખવું એકે ય મારે માટે સહેલું નહોતું.' વળી ઝવેરીલાલને એક પત્રમાં કૅમ્પબેલે લખેલું કે ‘વિદ્યા અને પ્રજ્ઞાની આટલી ઓછી નોંધ પોતાની પાછળ રાખીને ભગવાનલાલ આટલા જલદી ગયા, એ વિચારથી ખેદ થાય છે.’ અને ઝવેરીલાલ પણ કહે છે કે ઘણી યોજનાઓ પોતાનાં ઐતિહાસિક અન્વેષણોને પ્રકાશિત કરવાની ભગવાનલાલે ઘડી રાખેલી તે એની પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૨ ૧૦૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168