Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુલતાન આ સમયે માત્ર ૧૯ વર્ષીના હતાં એટલે રાજ્યના અમીરી અને એના ઉપર અકુશ તેવા શક્તિશાળી વજીરની જરૂર હતી. એણે મક્કામાં રહેતા ખઠ્ઠાદુરના સમયના અસખાનને ખેલાન્ચે અને એણે રાજ્યમાં શિસ્ત પ્રસ્થાપિત કરી સુલતાની હકૂમત સ્થિર કરી આપી. મહમૂદન" ખૂનઃ ઈસ. ૧૫૪૮ થી ઈ.સ. ૧૫૫૪ સુધી ગુજરાતના રાજ્યનું તંત્ર વ્યવસ્થિ ચાલ્યુ, પણ સુલતાન પોતે એશઆરામમાં સવિશેષ સમય વ્યતીત કરતા હતા. એના કૃપાપાત્ર હજૂર બુરહાન નામના એક જુવાનને એણે એક વાર ઠપકા આપ્યા એટલે એણે સુલતાનને રાત્રે સૂતી વખ એણે પીવાનું માગતાં ઝેર પાઈ દીધુ, પણ જીવ જતા નથી એમ લાગતાં એણે એની છાતીમાં ખજ હુલાવી દીધું અને અ’ગરક્ષકોને ખેલાવી કહ્યું કે સુલતાનના હુકમ છે કે જે અમારા અહી' આવે તેમ મારી નાખવા. ખુરહાને અસફખાન તથા બીજા અગિયાર અમીરાતે ખેલાવી મરાવી નાખ્યા. મા ઈત્તિમાદખાન ગયો ન હતા તે ખચી ગયા. બુરહાન સવારે શાહી છત્ર માયા ઉપર રખાવી પોતે સુલતાન તરીકે જાહેર થયા, પણ ચેલ અમીરા એની સામે આવ્ય! અને શેરખાન ભટ્ટીએ એને મારી નાખ્યા. મહમૂદશાહ બાલ્યવયથી હલકા વિચાર અને આચારવાળા માણસા સાથે ઊછરેલા એટલે રાજ્યપતિ થવા છતાં એ અમીરા વિદ્વાને કે વીરપુરુષના સત્સ’ગ ન કરતાં હલકા માણસને પોતાની સાથે રાખતા. પરિણામે વજીરે! એનાથી નારાજ રહેતા અને વિશ્વાસ કરતા નહિ. એવું ચારિત્ર્ય પણ શિથિલ હતું. આલમખાનની મદદથી ઈ.સ. ૧૫૪૩ માં એણે ચંપાનેર લીધુ ત્યારે દરિયાખાનના ખજાતા તેમ જનાના એના હાથમાં પડતાં, એ માત્ર ૧૭ વર્ષના હતાં છતાં, મિરાતે સિકંદરી કહે છે તેમ, એ જનાનામાં પેાતાની જુવાનીને દાદ્દ” દેવામાં મશગૂલ થઈ ગયા અને ત્રણ માસ લગી બહાર નીકળ્યા નહિ. એના જનાનખાનામાં સે"કડા સ્ત્રીએ હતી, નતિકાએ હતી, પણ એની કોઈ બેગમ બાળકને જન્મ ન આપે એ માટે એણે ગર્ભપાત કરાવી નાખવા પણ આના આપેલી. મહમૂદશાહ ઝનૂની મુસ્લિમ હતા. એણે રાજપૂત જમીનદારાના વાંટા ખાલસા કર્યા સિરાહ ઈડર ધરમપુર રાજપીપળા વગેરેના રાજાઓ સુલતાનનું સા`ભૌમત્વ સ્વીકારતા હતા છતાં એમન રાજ્ગ્યા ઉપર પણ મહમૂદશાહે લાલ આંખ કરી અને એમણે કરેલા બળવાને કડક હાથે દબાવી સેનાને એવી આજ્ઞા કરી કે “રાજપૂત અને કાળી કોમનું નામનિશાન ભૂસી નાખવુ, જે રાજ્યની સેવામાં હાય તેઓએ એમના જમણા હાથ ઉપર એક ચિહ્ન રાખવુ. અને જો ન ઢાય તા એને તરત જ મારી નાખવા.'’ ૧૨ એણે હિન્દુઓને ધડેસવારી કરવાની, પાઘડી ઉપર પાતે હિન્દુ છે એ સૂચવતું લાલ કપડાનું થીગડું મારવાની, છત્રી એઢવાની મનાઈ કરી. દીવાળી ઢાળી અને ખીજા પર્વેદ ઊજવવાની પણ મનાઈ કરી અને મંદિરના ઘટાનાદ અધ કરાવ્યાં તથા પૂજા કરવાની પણ મનાઈ કરી. ઈતિહાસલેખક લખે છે કે જ્યારે બુરહાને સુલતાનનું ખૂન કર્યું. ત્યારે હિન્દુએએ એને તારજીદ્વાર માની લીધે, કારણ કે એવું એમને આ ત્રાસમાંથી છેડાવ્યા. મુસ્લિમોને ઉત્તેજન આપવા રખી– ઉલ-અવ્વલ માસની પહેલી તારીખથી ખાર દિવસ સુધી સુલતાન મહેમદાવાદમાં ઉમા આલીમે વગેરેની સભા ચેાજતા, એમને ભાતભાતનાં ભાજનો પીરસવામાં આવતાં અને ઈલાદે મિલાદુનખી એટલે પેગમ્બર સાહેબના જન્મદિવસને દિવસે પાતે દરબાર ભરી, પાતે મક્કાના શેરીફનુ પદ ધારણ કરી સહુને મિજબાની આપતો. એણે ખંભાતનું પરગણુ વકરે કરેલુ' અને મક્કામાં જતા હાજી માટે [અનુસ’ધાન પા. ૧૭ નીચે પથિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36