Book Title: Pathik 1989 Vol 29 Ank 10
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી રહ્યો છે. યુ.એસ.એ.માં પણ આવું જ વલણ દષ્ટિગોચર થાય છે. અહીં એ ખાસ સુચક છે કે વિશ્વના બધા દેશમાં યુ.એસ.એ. એ એક એવો દેશ છે કે જયાં ભૌતિક જીવનધોરણ સૌથી ઊંચું અને સાથે સાથે સામાજિક ન્યાય તથા સલામતીની જરૂરિયાત પણ તદ્દન યોગ્ય રીતે પૂરી થયેલી છે. આમ, અંકુશે અને નિયંત્રણેને યુ.એસ.એ.માં વધારો થવો એ આખા વિશ્વમાં આવે વધારે થશે એનું સૂચક છે. રવતંત્રતાનું ક્ષેત્ર ૧૯ મી સદીમાં લગભગ અમર્યાદ જણાતું હતું તે હવેના પાશ્ચાત્ય સમાજમાં, ૨૦ મી સદીમાં, ઘણું સીમિત બને એમ છે તેમજ અહી પણ એમાં મોટો કાપ આવે એમ છે. આજે જ્યારે સ્વતંત્રતાને પણ પિતાનું અસ્તિત્વ ટકાવવા ઠેર ઠેર ભટકવું પડતું હોય છે એ કયાં જઈને શરણું શોધશે? પ્રશ્ન એટલા માટે જરૂરી છે કે માણસ જેમ લઘુતમ સલામતી ન્યાય અને છે.રાક વિના જીવી નથી શકતા તેમ એ લઘુતમ સ્વતંત્રતા વિના પણ જીવી નથી શકતે. માણસના સ્વભાવની અંતર્ગત જ સ્વતંત્રતા છે કે જે બીજા પ્રાણીઓ, જેવી કે ઊંટ બકર) વગેરેમાં હોય છે. એઓ સ્વભાવથી જ થંડી સ્વતંત્રતા માગે છે અને જયારે એની ધૂસરી એની સહનશીલતાની બહાર લાગવા માંડે છે ત્યારે ગુસે વ્યક્ત કરીને પણ ઘેડી સ્વતંત્રતા કેવી રીતે મેળવી લેવી એ બરાબર જાણે છે. મનુષ્યની આવી મમત જ ઘણા સિતમગારોની પડતીનું કારણ બનેલ છે. રશિયા અને ચીનની કાંતિનો ઈતિહાસ જોઈને કહી શકાય કે ઘણા લાંબા સમય સુધી સહન કરનારા લેકે પણ એક સમયે બળ કરી નાખે છે અને સૌથી કાર્યક્ષમ આપખુદી સત્તા પણ જીવનના દરેક ક્ષેત્રમાં સ્વતંત્રતાને એકસાથે દબાવી દેવા અસમર્થ રહી છે, સરમુખત્યારે સેઈટી-વાવની જેમ રૈયત માટે એક જ માર્ગ રાખી એની ઉપર બરોબર બેઠેલ હોય છે તેઓને પણ વહેલે-મોડે પ્રજાએ હવામાં ઉછાળી ફેકી દીધા છે અને આવા પ્રસંગેની પરંપરખે હ્યિા રાજયસ્તંઓને એ જરૂર શી મળ્યું છે કે પ્રજાને લાગણી વ્યક્ત કરવા માટે. કોઈ રસ્તે રાખ હિતકારી છે. સ્વભાવિક રીતે જ આ આપખુદ સત્તાધીશોએ લેકની આવી લાગણીઓને એવા વિશે અને પ્રક્રિયામાં વ્યક્ત થવા દીધી કે જે વિષય અને પ્રક્રિયા એમને કોઈ ખાસ મહત્વની લાગી ન હોય. ઉદાહરણસ્વરૂ૫, ૧૭ મી સદીમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મના ફેલાવા સમયે સત્તાધીશોને માટે ઘણી અગત્યની બાબત હતી ધર્મ અને તેથી એમને એમની રેત પ્રાયગિક વિજ્ઞાનને ઉપયોગ કને, લોછમાં કરે તો વાંધાસરખું ન જણાયું. હવે જ્યારે ૨૦ મી સદીમાં આ વૈજ્ઞાનિક ટેકનોલોજી મનુષ્યના અમાપ છું થમાં સત્તા મૂકવા સમર્થ છે અને જયારે સરકારને મન અત્યારે અગત્યની વસ્તુ ફક્ત સલામતી છે ત્યારે ૧૭ મી સદીમાં સ્વતંત્રતા મેળવનાર ટેકનિશિયનની સત્તા હાલની સરકાર છીનવી લઈ રહી છે. યુદ્ધ સામેની સલામતી, અકસ્માતે સામેની સલામતી અને વિવિધ માર્ગો સામેની સલામતી હવે એક એ હેતુ થઈ ગઈ છે કે જે રાજકીય આર્થિક, અરે કહે કે, ખાનગી જીવનની કૌટુમ્બિક રવતંત્રતાને મર્યાદિત કર્યા સિવાય હાંસલ કરી ન શકાય. ઇ. સ. ૧૯૫૬ માં જ ઘણી સંકુચિત સરકારોએ આ રસ્તો અપનાવી લીધું છે અને હા, એ માનવાને પણ કઈ કારણ નથી કે આવી સરકારોનું પતન થાય કે કલ્યાણરાજ્યની ભાવના સામે એ નમતું જોખે તોપણ જાહેર અંકુશે વધતા રહેવાના કોઈ વલણમાં ઝાઝો ફરક પડે. આવા સંજોગોમાં અમારું એવું પૂર્વાનુમાન છે કે મનુષ્ય જગતના ઇતિહાસના હવે પછીના પ્રકરણમાં રાજકીય આર્થિક અને કૌટુમ્બિક સ્વતંત્રતા ગુમાવવાનું વળતર, કદાચ આધ્યાત્મિક સ્વતંત્રતા પાછળ પિતાની શક્તિઓ વાપરી મેળવે અને ત્યારે સત્તાવાળા એમની રેવતને એમ કરવા પશુ દેશે, કેમકે જેમ ૨૦૦ વર્ષ પહેલાં ટકને લેજી સત્તાવાળાએને હાનિકારક નહેતી ગણાઈ તેમ આ જમાનામાં ધર્મ પણ એમને હાનિકારક જણાતું નથી. જુલાઈ/૧૯૦ પધિ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36