Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
ન લેવાય એ પ્રમાણે પં.શ્રીગંભીરવિજયજી મ0આદિએ સમૂહબલના જોરે જવાબ આપી સાચી વાત ઉડાડી દઈને પોતાનો મનધાર્યો છઠનો ક્ષય !! તેવી જરીતે- ભાદરવા શુદિ ચોથ તો અપર્વતિથિ છે, એ તો કારણિક પર્વતિથિ છે, આચરણાની તિથિ છે, બાકી સૈદ્ધાંતિક રીતે પર્વતિથિ નથી. તેથી ભાદરવા સુદ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ચોથની ક્ષય-વૃદ્ધિ થાય એમ જણાવી જેઓએ તે વખતે ચોથનો ક્ષય કર્યોહતો. તેઓના વારસદારો હવે આ ૬-૭નંબરના પાઠો વાંચ્યા પછી પોતાના વડિલોની ભૂલને સુધારી મૂળ માર્ગને અપનાવશે કે ?
____ (८) एवं भाद्रशुक्लपंचम्या अपि क्षयसद्भावे तृतीयायाः क्षयः क्रियते कार्यते च ॥ એ પ્રમાણે ભા.રા. પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરાય છે અને કરાવાય છે. સં.૧૭૯૨ પાક્ષિકવિચાર.
(९) एवमनुना प्रकारेण भाद्रपदशुक्लपंचम्याः क्षये वृद्धौ च तृतीयस्थानवर्त्तिन्याः તૃતીયાયા: ક્ષયં વૃદ્ધિ વ , મા વાહથિ7ો મવ || આજ પ્રકારે ભાદરવા સુદ પાંચમના ક્ષયે અને વૃદ્ધિએ ત્રીજા સ્થાને રહેલી એવી ભાદરવા સુદ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કર.ખોટો કદાગ્રહગ્રથિલ થા નહિ. (સં.૧૭૯રનો પાક્ષિકવિચાર)
(૧૦) પૂર્ણિમાના ક્ષયે તેરશનો ક્ષય, બાર માસમાંની ૧૧ પાંચમના ક્ષયે ચોથનો ક્ષય, સંવત્સરીની પાંચમના ક્ષયે ત્રીજનો અને સામાન્ય પંચમીએ ચોથનો ક્ષય કરવો.
નોંધનં. ૪-આનં. ૧૦વાળું પાનું, વિક્રમ સંવત્ ૧૭૭૩ના વૈશાખ વદ ૪ના રોજ તપાગચ્છીય પં.શ્રીરૂપવિજયજી મ.ના હાથનું લખેલું છે અને તે પાનું, પૂ.સૂરિસમ્રાટ આ.શ્રી વિજયનેમિસૂરિજી મ.ના જ પટ્ટધર પૂઆ.શ્રી વિજયદર્શનસૂરિજી મ.ના જ્ઞાન ભંડારનું હોવા છતાં તે પૂ, સૂરિસમ્રાટશ્રીના વારસદાર પં.શ્રી શીલચંદ્રવિજયજી આદિ સાગરજી મહારાજે જે શાસ્ત્રીય પુરાવા બુક બહાર પાડી છે તેને અંગે યાતઢા બોલેલખેકે પ્રચારે છે તે શું જોઈને તેવી પ્રવૃત્તિ કરતા હશે? આવા સ્પષ્ટ દીવાજેવા પૂર્વાચાર્યોના પાઠો હોવા છતાં તેને કૃત્રિમ કે બનાવટી કહી ઉડાવી દેવા અને દેવસૂર તપાગચ્છીય સામાચારી ઉથલાવીને પણ છઠનો ક્ષય કરવાની કોશિષ કરવી તે શું ભવભીરતા ગણાય ?
(૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org