Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
પંડિતોને પણ વિસ્મયમાં નાખે છે (વિસ્મિત કરે છે), તે ન્યાયવિશારદ બિરુદ ધારણ કરનાર શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજીએ પણ પોતાના રચેલા જ્ઞાનસાર નામના ગ્રંથમાં આશ્લોક વડે પોતાને દેવસૂરિગચ્છીય તરીકે ઓળખાવ્યા છે
સુગુરુ શ્રીવિજયદેવસૂરિના પ્રૌઢતાના ધામરૂપ સ્વચ્છ ગચ્છમાં પ્રજ્ઞા છત-વિજયજી, ગુણોના ગણવડે પરમ પ્રૌઢતાને પામ્યા હતા, તેમના સતીર્થ્ય (ગુરુબંધુ) પણાને ધારણ કરનારા ઉત્તમ પ્રાણ નયવિજયજીના શિશુ (શિષ્ય બાળક) શ્રીમાન્ ન્યાયવિશારદ (શ્રીયશોવિજયજી)ની આ કૃતિ, વિદ્ધજજનોને પ્રતિકારક થાઓ.
એવી રીતે યશોવિજયજી ઉપાધ્યાયજીના ગુરુ શ્રીનવિજયજી ઉપાધ્યાયે, તથા વિનયવિજય ઉપાધ્યાયે, ગુણવિજય ઉપાધ્યાયે અને બીજા પણ જ્ઞાનવિમલસૂરિવગેરેએ પણ તે તે ગ્રંથોની પ્રશસ્તિ વગેરેમાં પોતે દેવસૂરિગચ્છીય હોવાનું સૂચવ્યું છે
તેમના પટ્ટ પર સૂર્ય જેવા શ્રીવિજયદેવસૂરિ સુગુર થઈ ગયા, તેમના સુકૃતોના અનુમોદન માટે આ ગ્રંથ વિસ્તાર પામો.
તેમના પટ્ટ પર મુકુટ-મણિ જેવા વિસ્તાર પામતી કીર્તિ, કાંતિવાળા અને પ્રતાપવાળા તથા જેમની બહોળી તપાલક્ષ્મી પ્રખ્યાત થયેલી છે તેવા, પવિત્ર બુદ્ધિવાળા, અધિક દક્ષ, ઈંદ્રભૂતિ (ગૌતમસ્વામિ)ના પ્રતિનિધિ જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રીવિજયદેવસૂરિ જયવંત વર્તે છે. વિ.વિ.
તો શું આજ સુધીમાં તેને મહાપુરુષોનથી થયા? અથવા હાલમાં તેવા મહાપુરુષો નથી? અથવા ભવિષ્યમાં નહિ થાય? એવું કોઈ પણ કદાગ્રહ વગરના બુદ્ધિશાલીશ્રીસંઘ વડે સ્વીકારી શકાય તેમ છે?
ટીપણા (પંચાંગ)માં પર્વતિથિયોની વૃદ્ધિ કે ક્ષયના પ્રસંગે, વાસ્તવિક રીતે અપર્વતિથિયોની જ વૃદ્ધિ અને ક્ષય કરવાના સ્વરૂપવાળી આ સામાચારી મહાપુરુષોએ રચેલી છે, મહાપુરુષોએ અવિચ્છિન્ન પરંપરાથી અનેકવાર અનુષ્ઠિત કરેલી-આચરેલી હોવાથી; એવી રીતે આ સામાચારી, મહાપુરુષોએ આચરેલી છે, આધુનિક-હાલના
(૪૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org