Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ (vii) કૃતયુગ્મ વગેરે (ix) પૃથ્વી વગેરેનું પરિમાણ પદાર્થસંગ્રહમાં અમે ઉપરના પદાર્થો સ્પષ્ટ કર્યા છે. (૬) શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર (અવસૂરિ સહિત) આ સ્તોત્રની રચના પૂર્વના અજ્ઞાત મહાત્માએ કરેલ છે. તેની ૧૧ ગાથા છે. તે સંસ્કૃત ભાષામાં છે. આ સ્તોત્ર ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ૮ પ્રકારના પુદ્ગલપરાવર્તોનું સ્વરૂપ બતાવ્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તે વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. (૭) શ્રીઅંગુલસત્તરી (શબ્દાર્થ સહિત) શ્રીમુનિચન્દ્રસૂરિ મહારાજે આ ગ્રંથની રચના કરી છે. તેની ૭૦ મૂળગાથા છે. તે પ્રાકૃત ભાષામાં છે. પૂર્વના કોઈ મહાત્માએ તેના શબ્દાર્થ લખ્યા છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ત્રણ પ્રકારના અંગુલોનું સ્વરૂપ બતાવ્યું છે. પછી તેમણે વિવિધ રીતે એ સિદ્ધ કર્યું છે કે પ્રમાણાંગુલથી પર્વત વગેરે જે મપાય છે તે પ્રમાણાંગુલની પહોળાઈથી મપાય છે, લંબાઈથી કે ક્ષેત્રગણિતથી નહીં. પદાર્થસંગ્રહમાં અમે આ બધુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. (૮) શ્રીસમવસરણસ્તવ (અવસૂરિ સહિત) શ્રીધર્મઘોષસૂરિ મહારાજે આ ગ્રંથની રચના કરી છે. તેની મૂળગાથા ૨૪ છે. તે પ્રાકૃતભાષામાં છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક અવસૂરિ છે. આ ગ્રંથમાં ગ્રંથકારે ગોળસમવસરણનું સ્વરૂપ, ચોરસ સમવસરણનું સ્વરૂપ, ૨૪ ભગવાનના ચૈત્યવૃક્ષોના નામો, ૧૨ પર્ષદા, ૨૪ ભગવાનના સમવસરણોની લંબાઈ-પહોળાઈ વગેરે પદાર્થોનું નિરૂપણ કર્યું છે. પદાર્થસંગ્રહમાં અમે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા ઉપર બતાવેલા આઠે ગ્રંથોના પદાર્થોનો તલસ્પર્શી બોધ થાય. સંસ્કૃત ભાષા નહીં જાણનારા જીવો આ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 262