Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
४२
" (૨) નિહનવપણું –અપલાપ કરે. (તેમની પાસે ભર્યો નથી તેમ અપલાપ કરે.) - (૩) ઉપઘાત–મૂળથી નાશ કરે. () પ્રષિ-માનસિક અપ્રીતિ કરે.
(૫) અંતરાય–ભાત, પાણી, ઉપાશ્રય, વસ્ત્રાદિની પ્રાપ્તિમાં અંતરાય કરે.
(૬) અતિ આશાતના–જાત્યાદિ ઉદ્દઘાટનાદિ હેલના નિંદા કરે, વગેરેથી જ્ઞાનાવરણ કર્મ બાંધે.
વળી જ્ઞાનની નિંદાથી, આચાર્ય, ઉપાધ્યાયાદિના અવિનયથી, અકાળે સ્વાધ્યાય કરવાથી, કાળે સ્વાધ્યાય ન કરવાથી, હિંસા-અસત્ય, ચોરી–અબ્રહ્મ-પરિગ્રહ–રાત્રિભેજનની અવિરતિથી જ્ઞાનાવરણ કર્મ બંધાય છે.
(ર) દશનાવરણ–દર્શન (ચક્ષુદર્શન વગેરે), દર્શની (સાધુ આદિ) તથા દર્શનના સાધને (આંખ, કાન, નાક વગેરે) પ્રત્યે પ્રત્યનિકપણું, નિહાપણું, ઉપધાત, પ્રદ્વેષ, અંતરાય, અતિઆશાતના વગેરે દ્વારા દર્શનાવરણ કર્મ બંધાય છે તથા કાન, આંખ, જિહૂવાને છેદ કરવાથી, પ્રાણિવધ આદિ છ પ્રકારના અવતથી પણ દર્શનાવરણ કર્મ બંધાય છે. (૩) વેદનીય –
(i) સતાવેદનીય–ગુરુભક્તિ (માતા, પિતા, ધર્માચાર્ય વગેરેની ભક્તિ) ક્ષમા, કરુણા, દેશવિરતિ કે સર્વવિરતિ, સરાગસંયમ, દશવિધ ચકવાલ સમાચારીનું પાલન, કોધાદિ કષાયને વિજ્ય, દાનરુચિ, દઢધમી પણું, જિન તથા ચયની પૂજામાં પરાયણપારું, સુપાત્રદાન, અકામનિર્જરા, શૌચ, બાળતા વગેરે સાતવેદનીય કર્મ બાંધવાના કારણે છે.
| (ii) અસતાવેદનીયા–સાતવેદનીયના બંધના કારણથી વિપરિત કરનારે અસાતા વેદનીય બાંધે એટલે કે ગુરુની અવજ્ઞા કરનાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130