Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 76
________________ કેટલીક પારિભાષિક સંજ્ઞાઓની સમજણ આગળ કર્મગ્રન્થમાં કેટલાક પારિભાષિક શબ્દો આવશે તેની સમજણ બરાબર પડે તે માટે તેવા કેટલાક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા અત્રે આપીએ છીએ. [૧] નિષેકરચના–કમલિકોની ઉદયસમયથી માંડીને ક્રમશઃ સ્થિતિસ્થાનમાં ગોઠવણી. કે વાસ્તવિક રીતે કર્મલિકેની આવી કોઈ ગોઠવણી આત્મપ્રદેશ પર નથી પણ આત્મપ્રદેશ પર લાગેલા કર્મલિકે માંથી જે વર્તમાન સમયે ઉદયમાં છે તેને ઉદયસમયને નિષેક (કર્મદલને સમૂહ) કહેવાય છે. બીજા સમયે જે દલિકે ઉદયમાં આવવાના છે તેને બીજા સ્થિતિસ્થાનને નિષેક કહેવાય છે. આમ ક્રમશઃ જે જે કર્મદલિકે જે જે સમયે ઉદયમાં આવવાના છે તે દલિકો તે તે સમયે ઉદયમાં આવનારા સ્થિતિરથાનની નિષેક કહેવાય છે. આવી રીતે કર્મલિકેની સ્થિતિસ્થામાં ગોઠવણીને નિષેકરચના કહેવાય છે. [] અબાધાકાળ-કેઈપણ કર્મ બંધાય ત્યારે કર્મનું કેઈપણ દલિક અમુક કાળ સુધી ઉદયમાં ન આવે તેવું નકકી થાય છે. આ બંધ અને ઉદયના વચ્ચેના કાળને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ પછીના સમયથી તે કર્મ ઉદયમાં આવે છે યાવત્ તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય તેટલે કાળ સુધી કમશઃ તે કર્મના દલિકે ઉદયમાં ભોગવાતાં જાય છે. ૩૦ ૩૦. અબાધાકાળની આ સ્થૂલ વ્યાખ્યા કરી છે એટલે બંધ સમયે તે કર્મ તેટલા કાળ માટે ઉદયમાં આવવાનું નથી એમ નક્કી થાય છે. એટલે જે કોઈપણ કરણવિશેષથી કંઈપણ ફેરફાર ન થાય તે અબાધાકાળ વીત્યા પછી જ અને ઉથ થાય છે, પરંતુ આવું બનતું નથી. બધાવલિકા વીત્યા પછી તુરત જ ઉદીરણદિકરણ પ્રવર્તે છે. તેના દ્વારા કર્મ અબાધાકાળ પૂર્ણ થતાં પૂર્વે જ ઉયમાં આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130