________________
કેટલીક પારિભાષિક સંજ્ઞાઓની સમજણ
આગળ કર્મગ્રન્થમાં કેટલાક પારિભાષિક શબ્દો આવશે તેની સમજણ બરાબર પડે તે માટે તેવા કેટલાક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા અત્રે આપીએ છીએ.
[૧] નિષેકરચના–કમલિકોની ઉદયસમયથી માંડીને ક્રમશઃ સ્થિતિસ્થાનમાં ગોઠવણી.
કે વાસ્તવિક રીતે કર્મલિકેની આવી કોઈ ગોઠવણી આત્મપ્રદેશ પર નથી પણ આત્મપ્રદેશ પર લાગેલા કર્મલિકે માંથી જે વર્તમાન સમયે ઉદયમાં છે તેને ઉદયસમયને નિષેક (કર્મદલને સમૂહ) કહેવાય છે. બીજા સમયે જે દલિકે ઉદયમાં આવવાના છે તેને બીજા સ્થિતિસ્થાનને નિષેક કહેવાય છે. આમ ક્રમશઃ જે જે કર્મદલિકે જે જે સમયે ઉદયમાં આવવાના છે તે દલિકો તે તે સમયે ઉદયમાં આવનારા સ્થિતિરથાનની નિષેક કહેવાય છે. આવી રીતે કર્મલિકેની સ્થિતિસ્થામાં ગોઠવણીને નિષેકરચના કહેવાય છે.
[] અબાધાકાળ-કેઈપણ કર્મ બંધાય ત્યારે કર્મનું કેઈપણ દલિક અમુક કાળ સુધી ઉદયમાં ન આવે તેવું નકકી થાય છે. આ બંધ અને ઉદયના વચ્ચેના કાળને અબાધાકાળ કહેવાય છે. અબાધાકાળ પછીના સમયથી તે કર્મ ઉદયમાં આવે છે યાવત્ તેની જેટલી સ્થિતિ બંધાઈ હોય તેટલે કાળ સુધી કમશઃ તે કર્મના દલિકે ઉદયમાં ભોગવાતાં જાય છે. ૩૦
૩૦. અબાધાકાળની આ સ્થૂલ વ્યાખ્યા કરી છે એટલે બંધ સમયે તે કર્મ તેટલા કાળ માટે ઉદયમાં આવવાનું નથી એમ નક્કી થાય છે. એટલે જે કોઈપણ કરણવિશેષથી કંઈપણ ફેરફાર ન થાય તે અબાધાકાળ વીત્યા પછી જ અને ઉથ થાય છે, પરંતુ આવું બનતું નથી. બધાવલિકા વીત્યા પછી તુરત જ ઉદીરણદિકરણ પ્રવર્તે છે. તેના દ્વારા કર્મ અબાધાકાળ પૂર્ણ થતાં પૂર્વે જ ઉયમાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org