SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [3] ઉદયાવલિકા–ઉદયસમયથી માંડીને એક આવલિકા સુધીના સમયને ઉદયાવલિકા કહેવાય છે. [૪] બંધાવલિકા-કેઈપણ કર્મ બંધાય ત્યારથી એક આવલિકા સુધીના કાળમાં તે કર્મ બંધાવલિકામાં રહેલું કહેવાય છે. [૫] સંકમાવલિકા-કઈ પણ કર્મ સંક્રમ દ્વારા અન્ય કર્મ રૂપે થયું ત્યારથી માંડીને એક આવલિકા સુધી તે કર્મ સંક્રમાવલિકામાં રહેલું કહેવાય છે. બંધાવલિકા, ઉદયાવલિકા, સંક્રમાવલિકામાં કંઈપણ કરણ પ્રવર્તતા નથી. આઠ પ્રકારના કરણની વ્યાખ્યા કરણ = જીવનું પ્રવર્તમાન વીર્યવિશેષ. • જે વીર્ય વિશેષ કર્મના બન્ધ-સંક્રમાદિમાં પ્રવર્તે છે તે તે વીર્યને બંધનકરણ, સંક્રમકરણાદિ નામ અપાય છે. [૧] બંધનકરણ-જે વીર્ય વિશેષથી જીવ આઠે કર્મને બંધ કરે છે તે વીર્યને બંધનકરણ કહેવાય છે. [૨] સંકમકરણ–જે વીર્યવિશેષથી જીવ પૂર્વે બાંધેલા કર્મોને સજાતીય અન્ય કર્મરૂપે કરે છે તે વીર્ય વિશેષને સંક્રમકરણ કહેવાય છે. [૩] ઉદ્વર્તનાકરણ–જે વીર્ય વિશેષથી કર્મનાં સ્થિતિ અને રસની વૃદ્ધિ થાય છે તે વીર્યને ઉદ્દવર્તનાકરણ કહેવાય છે. [4] અપવર્તનાકરણ–જે વીર્યવિશેષથી કમની સ્થિતિ અને રસમાં હાનિ થાય છે તેને અપવર્તનાકરણ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy