________________
[3] ઉદયાવલિકા–ઉદયસમયથી માંડીને એક આવલિકા સુધીના સમયને ઉદયાવલિકા કહેવાય છે.
[૪] બંધાવલિકા-કેઈપણ કર્મ બંધાય ત્યારથી એક આવલિકા સુધીના કાળમાં તે કર્મ બંધાવલિકામાં રહેલું કહેવાય છે.
[૫] સંકમાવલિકા-કઈ પણ કર્મ સંક્રમ દ્વારા અન્ય કર્મ રૂપે થયું ત્યારથી માંડીને એક આવલિકા સુધી તે કર્મ સંક્રમાવલિકામાં રહેલું કહેવાય છે.
બંધાવલિકા, ઉદયાવલિકા, સંક્રમાવલિકામાં કંઈપણ કરણ પ્રવર્તતા નથી.
આઠ પ્રકારના કરણની વ્યાખ્યા
કરણ = જીવનું પ્રવર્તમાન વીર્યવિશેષ. •
જે વીર્ય વિશેષ કર્મના બન્ધ-સંક્રમાદિમાં પ્રવર્તે છે તે તે વીર્યને બંધનકરણ, સંક્રમકરણાદિ નામ અપાય છે.
[૧] બંધનકરણ-જે વીર્ય વિશેષથી જીવ આઠે કર્મને બંધ કરે છે તે વીર્યને બંધનકરણ કહેવાય છે.
[૨] સંકમકરણ–જે વીર્યવિશેષથી જીવ પૂર્વે બાંધેલા કર્મોને સજાતીય અન્ય કર્મરૂપે કરે છે તે વીર્ય વિશેષને સંક્રમકરણ કહેવાય છે.
[૩] ઉદ્વર્તનાકરણ–જે વીર્ય વિશેષથી કર્મનાં સ્થિતિ અને રસની વૃદ્ધિ થાય છે તે વીર્યને ઉદ્દવર્તનાકરણ કહેવાય છે.
[4] અપવર્તનાકરણ–જે વીર્યવિશેષથી કમની સ્થિતિ અને રસમાં હાનિ થાય છે તેને અપવર્તનાકરણ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org