________________
[૫] ઉદીરણાકરણ–જે વીર્યવિશેષથી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનમાં રહેલ કર્મ પુદગલને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય છે તેને ઉદીરણાકરણ કહેવાય છે. જે કર્મપ્રકૃતિને વિપાકોદય પ્રવર્તતે હોય તેની જ ઉદીરણ થાય છે.
[૬] ઉપશમનાકરણ-જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કર્મપુદગલોને ઉદય-ઉદીરણા-નિધત્તિ અને નિકાચના કરણને માટે અયોગ્ય કરાય છે તેને ઉપશમના કરણ કહેવાય છે.
[9] નિધત્તિકરણ–જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કર્મ ઉર્દૂવર્તન અને અપવર્તના સિવાયના સર્વ કરણ માટે અયોગ્ય કરાય છે તે નિધત્તિકરણ કહેવાય છે.
[૮] નિકાચનાકરણ–જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કમઢલિક સર્વ કરણને માટે અયોગ્ય કરાય છે તે નિકાચનાકરણ કહેવાય છે.
ઘાતિ-અઘાતિ કર્મ
ઘાતિ કમ–આત્માના ગુણને ઘાત કરે તે ઘાતિકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણ-દર્શનાવરણમેહનીય અને અંતરાય આ ૪ કર્મ તથા તેની સવ (૪૫) ઉત્તરપ્રકૃતિઓ ઘાતિ-કર્મ કહેવાય છે. ઘાતિકર્મમાં પણ કેવળ-૨, નિદ્રા-૫, મિથ્યાત્વ મેહ. અને ૧૨ કષાય એ સર્વાતિ પ્રકૃતિઓ છે. બાકીના જ્ઞાના-૪, દર્શના-૩, સંજવલન–૪, નોકષાય-૯ અને અંતરાય–પ એ ૨૫ પ્રકૃતિઓ દેશઘાતિ છે. સર્વઘાતિ કર્મ આત્માનાં ગુણને સંપૂર્ણપણે ઘાત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org