SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] ઉદીરણાકરણ–જે વીર્યવિશેષથી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનમાં રહેલ કર્મ પુદગલને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય છે તેને ઉદીરણાકરણ કહેવાય છે. જે કર્મપ્રકૃતિને વિપાકોદય પ્રવર્તતે હોય તેની જ ઉદીરણ થાય છે. [૬] ઉપશમનાકરણ-જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કર્મપુદગલોને ઉદય-ઉદીરણા-નિધત્તિ અને નિકાચના કરણને માટે અયોગ્ય કરાય છે તેને ઉપશમના કરણ કહેવાય છે. [9] નિધત્તિકરણ–જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કર્મ ઉર્દૂવર્તન અને અપવર્તના સિવાયના સર્વ કરણ માટે અયોગ્ય કરાય છે તે નિધત્તિકરણ કહેવાય છે. [૮] નિકાચનાકરણ–જે વીર્યવિશેષથી સત્તામાં રહેલ કમઢલિક સર્વ કરણને માટે અયોગ્ય કરાય છે તે નિકાચનાકરણ કહેવાય છે. ઘાતિ-અઘાતિ કર્મ ઘાતિ કમ–આત્માના ગુણને ઘાત કરે તે ઘાતિકર્મ કહેવાય છે. જ્ઞાનાવરણ-દર્શનાવરણમેહનીય અને અંતરાય આ ૪ કર્મ તથા તેની સવ (૪૫) ઉત્તરપ્રકૃતિઓ ઘાતિ-કર્મ કહેવાય છે. ઘાતિકર્મમાં પણ કેવળ-૨, નિદ્રા-૫, મિથ્યાત્વ મેહ. અને ૧૨ કષાય એ સર્વાતિ પ્રકૃતિઓ છે. બાકીના જ્ઞાના-૪, દર્શના-૩, સંજવલન–૪, નોકષાય-૯ અને અંતરાય–પ એ ૨૫ પ્રકૃતિઓ દેશઘાતિ છે. સર્વઘાતિ કર્મ આત્માનાં ગુણને સંપૂર્ણપણે ઘાત કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy