Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 222
________________ અમીરી અને ગરીબી આ બંને અભિશાપલા માનવજાતિને બે વર્ગોમાં વિભક્ત કરી શકાય છે. પ્રથમ વર્ગમાં એ લોકો આવે છે કે જેઓ કોઈ ચોક્કસ જીવનશૈલીને સ્વીકારીને જીવે છે. બીજા વર્ગમાં એ લોકો આવે છે કે જેમની સમક્ષ કોઈ આદર્શ કે લક્ષ્ય નથી હોતું. તેઓ જે રીતે જીવે છે એ જ તેમની જીવનશૈલી બની જાય છે. મહાવીરે ત્રણ પ્રકારની જીવનશૈલીઓ બતાવી છે. * અનિચ્છ, અનારંભ અને અપરિગ્રહ. * અભેચ્છ, અલ્પારંભ અને અલ્પપરિગ્રહ. * મહેચ્છ, મહારંભ, મહાપરિગ્રહ. ત્રીજી જીવનશૈલીમાં પરિગ્રહની કોઈ હદ રહેતી નથી. સમગ્ર સંસારનું ઐશ્વર્ય મળી જાય તો પણ વ્યક્તિને સંતોષ થતો નથી. તે વધુ ને વધુ પરિગ્રહ કરવા ઇચ્છે છે. તે માટે તે મહારંભનો માર્ગ અપનાવે છે. આરંભ એટલે હિંસા. હિંસા વગર સંસારી પ્રાણીનું જીવન નભતું નથી. પરંતુ જે જીવનશૈલીમાં હિંસાની સીમાઓ તૂટી જાય છે તેમાં વ્યક્તિ ક્રૂર બની જાય છે. એવી વ્યક્તિને નૃશંસ,માયાવી, દંભી, રૌદ્ર, સ્વાર્થી, હત્યારો વગેરે વિશેષણોથી વિશેષિત કરવામાં આવે છે. “અહમ્મણ વિત્તિ કખેમાણા’ - અધર્મથી રોજીરોટી મેળવનાર વ્યક્તિ આ શ્રેણીમાં આવે છે. પ્રથમ પ્રકારની જીવનશૈલીથી જીવનારી વ્યક્તિ અપરિગ્રહી હોય છે. અપરિગ્રહી વ્યક્તિના જીવનમાં હિંસાનાં તમામ દ્વાર બંધ રહે છે. હિંસાનો સીધો સંબંધ પરિગ્રહ સાથે છે. જ્યાં પરિગ્રહ નથી હોતો ત્યાં હિંસાની અપેક્ષા નથી રહેતી. હિંસાની જનની ઇચ્છા છે. અહિંસક વ્યક્તિ અનિચ્છ બની જાય છે. ઈચ્છાઓનું દમન પણ થઈ શકે છે, પરંતુ એ માર્ગ નિરાપદ નથી. દમિત ઈચ્છાઓ નવો માર્ગ નવું દર્શન : નવો સમાજ | ૨૨૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260