Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 233
________________ જીવનની વ્યાખ્યા માનવી પોતાના જીવનને સાચી રીતે જીવવા ઝંખે છે. જીવન સાચું છે કે નહીં એવી જિજ્ઞાસાને સમજવા માટે ચાર માપદંડ નિર્ધારિત છે- શાંતિ, સુષ્ટિ, પવિત્ર અને આનંદ. ભારત દેશની સંસ્કૃતિમાં અર્થ, ભોગવિલાસ, સત્તા અને સંઘર્ષને જીવનના આદર્શ તરીકે સ્વીકાર્ય નથી. આ ભૂમિકા ઉપર જીવનની એક સારી વ્યાખ્યા આવી હોઈ શકે શાં– તુષ્ટ પવિત્રં ચ સાનદમિતિ તત્ત્વતઃ જીવન જીવનપ્રાહઃ ભારતીયસુસંસ્કૃતી પ્રશ્ન એક જ છે કે શાંતિ અને તુષ્ટિ મળે કેવી રીતે ? પવિત્રતા આવે ક્યાંથી ? આનંદનું મૂળ ક્યાં છે ? શોધનારાઓ માટે સમાધાનની કમી નથી રહેતી. જે ચાલે છે તે મંજિલ સુધી પહોંચી જાય છે. અમે મહાવીરનું દર્શન વાંચ્યું તેને આધાર બનાવીને ચિંતન કર્યું. ત્યાંથી મળેલા સમાધાનને આ રીતે વ્યક્ત કરી શકાય છે. સન્તોષાયતે શાન્તિસ્તોષહેતુઃ સ્વતંત્રતા હેતુશુદ્ધયા પવિત્રતં સ્વસ્થ આનામહતિ . શાંતિની ઈચ્છા હોય તો સંતોષનો અનુભવ કરવો. નહિતર અબજો-ખરવોની સંપત્તિ વચ્ચે રહેવા છતાં શાંતિનો અનુભવ નહીં થાય. તુષ્ટિની ઇચ્છા હોય તો સ્વતંત્ર બનો, આત્માનુશાસિત બનો. નહિતર બાહ્ય નિયંત્રણોની પરવશતામાં તુષ્ટિની સંભાવના સમાપ્ત થઈ જશે. પવિત્રતાની ઈચ્છા હોય તો સાધનશુદ્ધિનું ધ્યાન રાખો. ધતુરાના છોડ ઉપર કેરીનું ફળ આવતું નથી. એ જ રીતે અશુદ્ધ સાધનો વડે પવિત્રતા પ્રગટતી નથી. આનંદની આકાંક્ષા હોય તો સ્વસ્થ રહો. પોતાની ભીતરમાં રહેવાનો અભ્યાસ કરો. પરમાં-બીજામાં આનંદ શોધનાર વ્યક્તિ ભટકી જાય છે. પદાર્થ પર છે. માનવીની સહજ મનોવૃત્તિ એવી છે કે તે પuથમાં આનંદનો અનુભવ કરે છે. તે આનંદ ભ્રમ છે. તે અનુભૂતિ ક્ષણિક છે. આત્મસ્થ થવાથી જે આનંદ મળે છે તે એકાદ વખત પણ મળી જાય તો પછી પદાર્થ જાનત આનંદની તુચ્છતા સમજાઈ જશે. સ્વસ્થ અને સંતુલિત જીવન મહાવીરના અર્થશાસ્ત્રમાં આકાંક્ષા અને આવશ્યકતાઓને વધારવાનો નહીં, પ્રાપ્ત સાધનસામગ્રીમાં સંતોષ માનવાનો નિર્દેશ જારાણી શકાશese સંતુલિત જીવનશૈલીનો સાધારી શરૂ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260