Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 234
________________ છે. તેમણે વિવશતાથી ગરીબીનો અભિશાપ સહન કરવાની નહીં, સ્વવશતામાં અર્થને સીમિત કરવાની વાત કહી છે. તેમણે અર્થના અર્જનનો નિષેધ નથી કર્યો, પરંતુ સાધનશુદ્ધિને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેમણે ચોરીને તો ત્યાજ્ય માની છે, ચોરને ચોરી કરવામાં સહયોગ આપવાની વાતને પણ ઉચિત ગણાવી નથી. તેમની દષ્ટિએ ચોરીનો માલ ખરીદવો, રાજ્ય દ્વારા નિષિદ્ધ વસ્તુઓની આયાત-નિકાસ કરવી, ભેળસેળ કરવી, અસલી વસ્તુ બતાવીને નકલી વસ્તુ વેચવી, તોલમાપમાં ગરબડ કરવી, રિશ્વત લેવી વગેરે અથર્જનનાં અશુદ્ધ સાધનો છે. આવાં સાધનો દ્વારા અર્જિત અર્થ વડે પવિત્રતા પ્રગટી શકતી નથી. મહાવીરની દષ્ટિમાં તાત્કાલિક લાભનું નહીં, દીર્ઘકાલિક લાભનું મહત્ત્વ હતું. ઈમાનદારીને ગિરવે મૂકીને વ્યવસાયના ક્ષેત્રમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને તાત્કાલિક લાભ ઇચ્છતો માણસ સ્વસ્થ રહી શકતો નથી. અસ્વસ્થતા શરીરની હોય કે મનની, તે આનંદમાં અવરોધક બને છે. સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી માટે મહાવીરના અર્થશાસ્ત્રને વાંચવું અને આત્મસાત્ કરવું અત્યંત આવશ્યક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260