Book Title: Navu Darshan Navo Samaj
Author(s): Tulsi Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 229
________________ ' :: ' :: : સંતુલિત જીવનશૈલીનો કામ કરી સમયનો ચહેરો બદલાય છે પરંતુ સત્ય નથી બદલાતું. અર્થ અનર્થનું મૂળ છે. આ એક સનાતન સત્ય છે. એવી લોકભાષા અતીતમાં જાણીતી હતી. વર્તમાનમાં પ્રમાણિત થઈ રહી છે અને ભવિષ્યમાં તેના પડઘા નહીં પડે એમ કહેવાનું મુશ્કેલ છે. માનવજીવનની એક મોટી વિસંગતિ છે અર્થ. એક તરફ અર્થને અનર્થનું મૂળ માનવામાં આવે છે. બીજી તરફ અર્થ વગર કોઈનું જીવન ચાલી શકતું નથી. જ્યાં અર્થ છે ત્યાં હિંસા છે. અર્થનું અર્જન, અર્થનો ભોગ, અર્થનો સંગ્રહ અને અર્થની સુરક્ષા આ બધા સાથે હિંસા એવી રીતે ગૂંથાઈ ગઈ છે કે ત્યાંથી તેને અલગ પાડી શકાતી નથી. આવી સ્થિતિમાં અહિંસા અને શાંતિના અર્થશાસ્ત્રની ચર્ચા ખરેખર ચોંકાવનારી છે. અધ્યાત્મની ભાષામાં મુખ્ય બે પાપ છે- હિંસા અને પરિગ્રહ. બીજા શબ્દોમાં પ્રસાદ અને આસક્તિ. પ્રમાદ હિંસા છે. મહાવીરે ગૌતમને કહ્યું, “સમય ગોય! મા પમાયએ હે ગૌતમ તું એક પળ માટે પ્રમાદ કરીશ નહીં. અહિંસાનું વ્રત સ્વીકાર્યા પછી પ્રમાદ થાય તો તેથી અહિંસા ખંડિત થાય છે. કોઈ પ્રાણીના પ્રાણ નો વધ કરવો તે હિંસા છે. તેથી પણ મોટી હિંસા પ્રમાદની એ પળ છે, જ્યારે વ્યક્તિ આત્મતુલાના સિદ્ધાંતને ભૂલીને કોઈ પ્રાણી-વિયોજન કરે છે. વિચારોની જે ભૂમિકા ઉપર હિંસાના ભાવ અંકુરિત થાય છે, તે ભૂમિકાનું નિમણિ પ્રમાદની પળોમાં થઈ શકે છે. હિંસા પરિગ્રહની જનની છે કે પરિગ્રહ હિંસાનો જનક છે ? આ ગંભીર પ્રશ્ન છે. કેટલાક લોકો હિંસાની સાથે પરિગ્રહને જોડે છે. અહિંસા પરમોધર્મ આ અવધારણાના આધારે તેઓ તમામ બૂરાઈઓનું મૂળ હિંસાને સમજે છે. સત્યની આ એક બાજુ છે. તેની કારક સંતુલિત જીવનશૈલીનો આધાર રાખે ઉwe weીર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260