Book Title: Muni Gun Mahattva Vichar
Author(s): Champaksagar
Publisher: Nanchand Parmanand Patani

View full book text
Previous | Next

Page 103
________________ ઉપરોક્ત સૂર્યપૂરી ધમી અને દાની નગરીમાં જેમ મગમાં એક કર્કશ મગ (કેઈ ડુ) રહી જાય છે તેમ એક રત્નાર્ક નામા કંજુસ શેઠ રહેતાં હતાં. એક વખત દાનશાળ તરફ થઈને જતે ત્યારે યાચકે ને દાન લેતાં જોઈ અને દાતારને આપતાં જોઈ કલુષિત મનવાલા થઈ ઘેર આવ્યા ત્યારે સ્ત્રીએ કહ્યું. નારી પુછત સૂમકું, કાંસે બદન મલીન; કાં ગાંઠસે ગીર પડશે, કાં ગાંઠસે દીન. નહિ ગાંઠસે ગીર પડયે, નહિ ગાંઠસે દીન, દેતે દેખા ઓરકુ, ચુંહિ મુખ મલીન. ભાઈઓ કંજુસેના હૈયા કેવા કઠીન હોય તે આ ઉપરથી સમજાય છે પછી એમ વિચારતે હતું કે મારી પાસે રને ઘણું છે અને બીજું પણ ધન ઘણું છે, માટે છોકરાને સાથે લઈ શૂન્યવનમાં વધારાનું ધન દાટી આવું તેથી ખપ પડશે ત્યારે કાઢી લાવશું. એમ વિચારી છેકરાને સાથે લઈ ધન દાટવા શૂન્ય વનમાં શેઠ આવ્યો ત્યાં ખાડો ખેદી ધન દાટતા વિચાર આવ્યો કે રખેને કોઈ દુર્ત ધનાકાંક્ષી આ વનમાં વિચરતે હોય અથવા સંતાણે હોય માટે છેકરા પાસે તપાસ કરાવી પછી દાટવાની વિધિ કરૂં. હે વત્સ, જા આ વનમાં કોઈ માણસ વિગેરે તે છે નહિને ? મને શંકા આવે છે જેઈ આવ. છોકરો સાએ વન ફરીને આવીને કહે છે કે બાપુ એક મૃતક (મુઠું) પડેલ છે. બીજું કંઈ દેખાણું નહિ. શેઠ—નક્કી કઈ ધુત શ્વાસ ધ કરી મુડદું થઈને પડયે હશે, માટે વિશ્વાસ મુડદાને પણું કરવા ન જોઈએ એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126