________________
पिछाणे । जिम खोटे रुपया बिच खरा रुपया होवे ते सराफ विना दुजेको न जणाय । तथा झवेरी विना रत्न खोटा खरा नहि पिछाण्या जाता । हंस विना दुध जल जूदा न होवे । तिम समकित विना देव गुरु धर्मकी पिछाण न होवे । इस वास्ते समकितकी खप करो । राग द्वेष छोडके विचारोगे तब केवली परूप्या धर्म पावोगे । जिण खोज्या तिण पाया तत्त्व तणा विचार । इत्यादिक घणी विचार है । किहां लगे लिख्या जाय ? पुन्यानुबंधी पुन्य विना जीवको धर्म पावणा दोहिला है । - અહીં એમ કહ્યું શ્રી દુષ્પહસૂરી સુધી શુદ્ધ સામાચારીના ઉપદેશક પુરુષ રહેશે. બે પ્રકારના પુરુષો થશે. એક તો ગીતાર્થ - પોતે પંડિત આત્માર્થી ભવભીરુ પૂર્વાચાર્યની સમાચારીના જાણકાર હોય તથા બીજા આવા ગીતાર્થના ચરણોના સેવક-આજ્ઞાકારી થશે. તે પુરુષોને ગચ્છ મર્યાદાની ખબર હોય છે પરંતુ બધાય દીક્ષીતોને મર્યાદાની ખબર નથી પડતી.
તથા પૂર્વે પાઠ લખ્યો છે તે પાઠને લગતો જ પાઠ છે. - હે ગૌતમ ! જે આશાતનાથી નથી ડરતા, ઉન્માર્ગમાં પ્રવર્તીને ગચ્છવાસી કહેવડાવે છે તથા પરંપરા રહિત ગચ્છ ઊભો કરશે. સ્વચ્છંદચારી સમયના પ્રભાવે લીંગોપજીવી રાગ કરીને એક ક્ષેત્રમાં વાસ કરશે. તથા અપ્રાસુક આહાર વાપરશે. “જાવ સાહૂવેયિ અન્ય વેસ પરિવત્તકેયાહીંડનશીલ” ઈત્યાદી દોષો કહ્યા છે મહાનિશીથ અંગચુલીકા અને વંકચૂલીકામાં જેને જોવા હોય તે જોઈ લેજે. અહિ મેં થોડા લખ્યા છે ઈત્યાદિ. ચિહ્ન જોઈને મર્યાદાના ઉલંઘન કરનારને જાણી લેજો. શ્રુતજ્ઞાન વિના ન જણાય. રાગદ્વેષ અજ્ઞાન છોડીને એક વીતરાગના વચનની પ્રતીતિ કરે તો જણાય.
કેટલાક એમ કહે છે. - મહાનિશીથ અંગચુલીકા વંકચૂલીકા એ તો બીજાઓએ બનાવ્યા છે, મૂળના નથી. તેવું તમોએ કેમ જાણ્યું ? ઉ. - આ ત્રણમાં વિપરીત મતો નિષેધ્યા છે. પ્રશ્ન - તો બીજા કયા સૂત્રોમાં વિપરીત મતોની સ્થાપના કરી છે ? તે બતાવો ચલો ! ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. તેઓમાં જે સાલ વૃક્ષ સમાન ભંગા છે તે તીર્થ છે. બીજા નામ માત્ર જૈનલીંગ માત્ર જૈની છે. તે તો ભોગવતી નરકના સાથી છે. સારું સારું તે ખાએ પીવે છે તથા પહેરે છે. તેમજ કેટલાક ભોળા લોકો તેઓને ગુરુ કરીને માને છે. તેઓ પણ ગુરુનું અભિમાન મનમાં ધારણ કરે છે અને આનંદ માને છે પરંતુ જ્ઞાનીઓએ તેઓને આ લોક પરલોકમાં દુઃખી કહ્યા છે. વિષની જેમ નિંદનીય કહ્યા છે. શિષ્ય કહે સ્વામીજી ! આ તો બધાય ભેગા મળી ગયા છે. તેમની ઓળખાણ કેમ પડે ? હે શિષ્ય ! એમને ઓળખવાવાળા ૨૧ હજાર વર્ષ સુધી
७०
* मोहपत्ती चर्चा