________________
કર્મનું વિજ્ઞાન
૩૫
૩૬
કર્મનું વિજ્ઞાન
થયું. ભ્રાંતિવાળા એવું સમજે કે અહીં કર્મ બાંધે છે કે અહીં ભોગવે. એવું સમજે. પણ આ શોધખોળ નહીં કરેલી કે એને નથી જવું તો ય શી રીતે જાય છે ? એને શી રીતે નથી જવું છતાં એ કયા કાયદાથી જાય છે, તે હિસાબ છે.
તે આપણે વધારાનું શીખવાડીએ છીએ કે આ છોકરાને માર-માર ના કરશો વગર કામનું, ફરી ભાવ ના કરે એવું કરો. ફરી યોજના ન કરે એવું કરો. ચોરી એ ખરાબ છે.... હોટલમાં ખાવું એ ખરાબ છે, એવું એને જ્ઞાન ઉત્પન્ન થાય એવું કરો. એટલે ફરીથી આવતે ભવ એવું બને નહીં. આ તો માર-માર કરે ને છોકરાને કહેશે, “જો નહીં જવાનું તારે', તો એનું મન અવળું ફરે છે, એ છોને કહે, આપણે તો જવાનાં, બસ. ઊલ્ટો હઠે ચઢે ને તેથી જ આ કર્મો ઊંધા થાય છે ને ! મા-બાપ ઊંધા કરાવડાવે છે.
પ્રશ્નકર્તા : જે આગલાં ભાવ કર્યા હતા એટલે હોટલમાં ગયો, હવે હોટલમાં ગયો, પછી ત્યાં ખાધું અને પછી મરડો થયો, આ બધું ડિસ્ચાર્જ
સંચિત કર્મને આધારે, અત્યારે મહીં ખૂબ ના છે છતાં ય હોટલમાં જઈને ખાઈ આવે છે તે પ્રારબ્ધ કર્મ અને એનું ફરી પાછું આ ભવમાં જ પરિણામ આવે ને મરડો થઈ જાય એ ક્રિયમાણ કર્મ !
હોટલમાં ખાય ત્યારે મજા આવી તે વખતે ય બીજ નાખે છે અને મરડો થાય ત્યારે ભોગવતી વખતે ય ફરી બીજ નાખે છે. એટલે કર્મફળ વખતે અને કર્મફળ પરિણામ વખતે, બે બીજ નાખે છે.
સંચિત, પ્રારબ્ધ તે ક્રિયમાણકર્મ ! પ્રશ્નકર્તા એ બધું પૂર્વભવના સંચિતકર્મ ઉપર આધારિત છે ?'
દાદાશ્રી : એવું છે ને સંચિત કર્મને એ બધા શબ્દો સમજવાની જરુર છે. એટલે સંચિતકર્મો એ કૉઝીઝ છે અને પ્રારબ્ધકર્મ એ સંચિતકર્મની ઈફેક્ટ છે અને ઈફેક્ટનું ફળ તરત જ મળે એ ક્રિયમાણકર્મ અને સંચિતકર્મનું ફળ પચાસ-સાઠ-સો વર્ષ પછી એનો કાળ પરિપક્વ થાય ત્યારે મળે.
સંચિતકર્મનું આ ફળ છે. સંચિતકર્મ ફળ આપતી વખતે સંચિત ના કહેવાય. ફળ આપતી વખતે પ્રારબ્ધકર્મ કહેવાય. એના એ જ સંચિત કર્મ જ્યારે ફળ આપવા તૈયાર થાય, ત્યારે એ પ્રારબ્ધકર્મ કહેવાય. સંચિત એટલે પેટીમાં મૂકેલી થોકડીઓ. એ જે થોકડી બહાર કાઢીએ એ પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધનો અર્થ શું કે જે ફળ આપવા સન્મુખ થયું તે પ્રારબ્ધ અને ફળ આપવા સન્મુખ નહીં થયું, હજુ તો કેટલાંય કાળ પછી ફળ આપશે ત્યાં સુધી એ સંચિત બધા. સંચિત પડી રહેલા હોય બધા. ધીમે ધીમે ઉકેલ આવતો જાય, તેમ તેમ ફળ આપે.
અને ક્રિયમાણ તે આંખે દેખાય છે. પાંચ ઇન્દ્રિયથી અનુભવમાં આવે છે તે ક્રિયમાણ કર્મ. એટલે આ ત્રણ રીતે ઓળખાય કર્મ. લોકો કહે જુઓને, આને બે ધોલ મારી દીધી. ધોલ મારનારને દેખે, ધોલ ખાનારને દેખે, તે આ ક્રિયમાણકર્મ. હવે ક્રિયમાણકર્મ એટલે શું? ફળ આપવા જે સન્મુખ થયું તે આ ફળ. પેલાને ફળ એવું આવ્યું કે બે ધોલો
દાદાશ્રી : એ હોટલમાં ગયો એ ડિસ્ચાર્જ છે અને પેલું મરડો થયો તે ય ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ પોતાનાં તાબામાં ના રહે, કંટ્રોલ ના રહે, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. - હવે એક્કેક્ટ જો કર્મની થિયરી કોને કહેવાય એવું જો સમજે, તો એ માણસ પુરુષાર્થ ધર્મને સમજી શકે. આ જગતના લોકો જેને કર્મ કહે છે, એને કર્મની થિયરી કર્મફળ કહે છે. હોટલમાં ખાવાનો ભાવ થાય છે. પૂર્વભવે કર્મ બાંધ્યું હતું, તેના આધારે ખાય છે. ત્યાં એ કર્મ કહેવાય. એ કર્મના આધારે આ ભવમાં એ હોટલમાં ખા ખા કરે છે. એ કર્મફળ આવ્યું કહેવાય અને આ મરડો થયો, એને જગતના લોકો કર્મફળ આવ્યું એવું માને. ત્યારે કર્મની થિયરી શું કહે છે આ મરડો થયો, એ કર્મફળનું પરિણામ આવ્યું.
વેદાંતની ભાષામાં હોટલમાં ખાવા ખેંચાય છે તે પૂર્વે બાંધેલા