Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 202
________________ દૂર કરણ જીવનમાં કરેલાં કાર્યો ક્યાંથી સ્મૃતિમાં આવશે ? વળી એ સંસ્કાર તો આ જન્મના જ નથી. જન્મજન્માંતરમાં જે કંઈ આપણે કરતા આવ્યા તે સર્વ સંસ્કારને આ અક્ષય ખજાને છે. તે અનંત જ નહિ પણ અનંતાનંત છે. કાર્પણ શરીરના ઉપચેતનારૂપ આ અક્ષય કષ જ સિદ્ધાંતમાં “સત્તા” નામથી પ્રસિદ્ધ છે. જેમાં પૂર્વ સંચિત સર્વ સંસ્કારે ફળ આપવાની પ્રતીક્ષામાં સુખદશામાં પડ્યા છે. સત્તામાં સ્થિત એ પ્રસુપ્ત સંસ્કારનું જાગ્રત કે ફળભુખ થવું તેને સિદ્ધાંતમાં ઉદય કહે છે. એ અવસ્થામાં જીવને નવાં નવાં કાર્ય કરવાને માટે ઉત્તેજના રહે છે, અને જીવને તેનું અનુસરણ કરવું પડે છે. આપણું પ્રત્યેક કાર્યમાં નવા નવા સંસ્કારે બનવાનું તથા જૂના સંસ્કાર દૃઢ થવાનું કાર્ય નિરંતર થઈ જ રહ્યું છે. જે કામ આપણે વર્તમાનમાં કરી રહ્યા છીએ તે પણ સંસ્કારોથી અસ્પૃશ્ય રહી શકતા નથી. વાસ્તવમાં આપણે જે કંઈ કરીએ છીએ તેની પૃષ્ઠભૂમિમાં સંસ્કાર પડેલા છે. આપણું કેઈ પણ કાર્ય, તે બાહ્ય છે કે અત્યંતર હે, સ્થૂલ છે કે સૂક્ષમ હ, નવું હતું કે જૂનું હે, જાણવાનું છે કે ભેગવવાનું છે, કરવાનું છે કે ધરવાનું હે, શુભ કે અશુભ હે, સર્વ પૂર્વ સંચિત સંસ્કારની પ્રેરણાથી થાય છે. બહિઃકરણ કે અંતઃકરણને જ્યારે જેવું નિમિત્ત પ્રાપ્ત થાય છે ત્યારે તેવા સંસ્કાર જાગ્રત થઈ જાય છે અને આપણને તેવા પ્રકારનું કાર્ય કરવું પડે છે. મોટા મોટા યોગીએ પણ આ વેગને તાત્કાલિક સડન કરવાને સમર્થ નથી તે પછી સાધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248