Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 240
________________ સહજ અવસ્થા વ્યવસ્થાને તમાશો જોયા કર. તારા જેવા અનંતાનંત અહંકાર યુગપત્ તેને બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આજ સુધી કોઈ તેને બદલી શકયું નથી અને બદલી શકશે પણ નહિ. કદાચિત્ તું કહીશ કે “અહંત સિદ્ધ' તે વીતરાગી હોવાથી કર્તા નથી. પરંતુ હું તે “રાગી છું તે તેમાં રાગ કર્તા બને છે. તું કર્તા બનતું નથી. રાગ અજ્ઞાન સ્વરૂપ છે માટે પરમાર્ગદષ્ટિએ તે મિથ્યા છે. કદાચ તું એ પણ કહે કે વ્યવહારભૂમિ પર તે મારું કર્તા – સત્ય જ છે તે વાત સ્વીકાર્ય છે. જે તારે વ્યવહારભૂમિ પર જીવન વિતાવવું હોય તે તારું કર્તુત્વ મને સ્વીકાર્ય છે. પરંતુ જે તારે વ્યવહારભૂમિને ત્યાગ કરીને પરમાર્થભૂમિ પર આવવાનું ઈષ્ટ હેય તે તારે તારું આ રાગજન્ય મિથ્યા કતૃત્વ છેડવું પડશે. હું વ્યવહારની સંકીર્ણ દૃષ્ટિથી વાત કરતો નથી, પરંતુ પરમાર્થદષ્ટિથી વાત કરું છું. જેમાં તારી કઈ સ્વયં સત્તા નથી ત્યાં કર્તા-અકર્તાની વાત શા માટે ? હે અહંકાર! તું તારી આ પારમાર્થિક અસત્યતાને સમજ. વિશ્વ તને આધીન થઈ શકતું નથી, તે વિશ્વને આધીન છે. તું સમગ્રતાને સ્વામી નથી, સમગ્ર તારે સ્વામી છે. તું સમગ્રમાં કંઈ જ હેરફેર કરી શકતું નથી, સમગ્ર તારામાં હેરફેર કરી શકે છે. તે સમગ્રને ભેગવી શકો નથી, સમગ્ર તને ભેગવી રહ્યું છે. વિશ્વની આ અવિરત કાર્ય કારણ વ્યવસ્થાને સમજ. તું કૃતકૃત્ય થઈ જઈશ. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248