Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 238
________________ સહજ અવસ્થા ૨૨૧ વ્યવસ્થા તારે આધીન નથી, પણ તે તેને આધીન છે. તારી આ અતૃપ્ત કામના વાસ્તવમાં વિધાનની અંદર સમાયેલી છે. અન્યથા જગતમાં તારું કેઈ અસ્તિત્વ ન હોત. ૨. વિફળ કઈવ વિશ્વવ્યવસ્થાને પિતાને આધીન કરીને તેને બદલવાને પ્રયત્ન કરવામાં તારું સ્વાતંત્ર્ય નથી, વાસ્તવિકતા તે એમાં છે કે તે તેના વિધાનને સાચી રીતે સમજીને હૃદયથી સ્વીકાર કરી અને પિતાની ભૂલને કારણે તે તેને આધીન થઈ ગયે છે, તે કર્તવ, ભેતૃત્વભાવથી વિરક્ત થઈ તેને જ્ઞાતાદ્રષ્ટા બનીને શાંત થા. જ્ઞાતાદ્રષ્ટાપણું તારું તથા તારા જ્ઞાનનું સ્વરૂપ છે. તે જ તારું કર્તવ્ય અને તે જ તારું ભેતૃત્વ છે. પિતાના આ પારમાર્થિક સ્વરૂપને ભૂલી જવાને કારણે તે જગતને કર્તાહર્તા બન્યા છે. અરે, પ્રભુ! એ તે વિચાર કે પૂર્ણતા પ્રાપ્ત કરીને પણ તું એને કર્તાહર્તા રહી શકતે નથી, પછી અપૂર્ણતાની સ્થિતિમાં એમ કેવી રીતે બનશે? અહંત તથા સિદ્ધને તે તું અકર્તા માને છે, અને તેને પિતાને તું કર્તા માને છે. તારી આ વિષમ કલ્પના ઉપર જરા વિચાર કર. અહંકારની સંકીર્ણ પરિધિમાં રહીને તું તારાં રહસ્યને સમજી શક્ત નથી. એક ક્ષણ માટે તે પરિધિમાંથી બહાર નીકળ, અને તારા જ્ઞાતાદ્રષ્ટાભાવને આશ્રય લઈને સરલરૂપે વિશ્વની આ સુંદર વ્યવસ્થાનું નિરીક્ષણ કર. ભરત ચક્રવતી જ્યારે છ ખંડ જીતીને આવ્યા ત્યારે વૃષભગિરિ ઉપર પિતાનું નામ લખવા ગયા, પણ ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248