Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 234
________________ પાંચ લબ્ધિ ૨૧૭ ભૂમિ પર તે પ્રમાણે વવાના પ્રયત્ન કરે છે. વિશુદ્ધિ લબ્ધિના કારણે આત્મદોષ તથા પર-ગુણુનાં દર્શન થાય છે. જેને કારણે તે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મશેાધન કરવા માંડે છે. દેશનાલબ્ધિ પ્રાપ્ત થયા પછી તેનાં મનબુદ્ધિ વગેરેનું આમૂલ પરિવતન થઈ જાય છે, તેના પરિણામે તેને આત્મેત્કર્ષની અનુભૂતિ થઈ જાય છે. આટલી ભૂમિકા થયા પછી જ્યારે તે કરશુલબ્ધિ’માં પ્રવેશ કરે છે ત્યારે પેાતાના ચિત્તની વૃત્તિઓને કાચબાની જેમ બહારથી પાછી વાળીને અંદરમાં સ્થાપિત કરે છે. તેમ થવાથી તેની સર્વ શક્તિએ ચિત્ત દ્વારા બાહ્ય જગતમાં આમતેમ વિસ્ફોટ થઈ નષ્ટ થતી હતી તે હવે આત્માનુસંધાનમાં નિયાજિત થાય છે. શ્રવણ, અભ્યાસ, મનન, ચિંતન, ઉપદેશ, સવાઁથી શાંત થઈને તે કેવળ આત્મદર્શનનું અવલબન લે છે. સહજરૂપે પોતાના અંતરમાં જેવું જણાય છે તેવેા અભ્યાસ કરતા રહે છે. તે પ્રકારે તેનું શાસ્ત્રઅધ્યયન સ્વ-અધ્યયનમાં રૂપાંતરિત થાય છે. બાહ્ય જગતનાં ઐન્દ્રિય સુખમાં હજી જોકે પૂરા વૈરાગ્ય પ્રાપ્ત થયા નથી, છતાં પણુ ગુરુકૃપાથી દેશના લબ્ધિ દ્વારા તેને વૈરાગ્ય તે જરૂર પ્રગટયો છે. તેથી તે બાહ્ય વિષયાને નિઃસાર જુએ છે, અને તેની અલ્પાધિક ઉપેક્ષા કરે છે. તેથી પરિણામે ઉત્તરાત્તર વૃદ્ધિ પામે છે. ! પરિણામ વિશુદ્ધિના આ વિકાસને લક્ષમાં રાખીને આપણે કરણલબ્ધિના સ્વરૂપનું અધ્યયન બે પ્રકારે કરી શકીએ છીએ. એક જીવની અને અનેક જીવની અપેક્ષા તેમાં હાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248