Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 235
________________ કર્મ રહસ્ય છે. એક જીવની અપેક્ષાએ પ્રતિક્ષણ તેનાં પરિણમે અધિક અધિક શુદ્ધ થતાં જાય છે. અને જેમ જેમ ઉપરની ભૂમિકા પર આવે છે તેમ તેમ વિશુદ્ધિને કેમ વૃદ્ધિ પામે છે. અનેક જીવોની દૃષ્ટિએ જોતાં કરણ લબ્ધિમાં યુગપત્ પ્રવેશ કરવાવાળા અનેક જીવમાં પરિણમેની તરતમતા હોય છે. કોઈનાં પરિણામની વિશુદ્ધિ અ૫, તે કોઈની અધિક હોય છે, અને કેઈની સમાન હોય છે. જેમ જેમ તે ઉપરની ભૂમિકાએ પહોંચે છે તેમ તેમ તરતમતા ઘટતી જાય છે અને અંતમાં સર્વનાં પરિણામોની વિશુદ્ધિ સમાન હોય છે. આચાર્યોએ આ લબ્ધિના સ્વરૂપને ઉત્તરોત્તર ત્રણ પાનમાં વિભક્ત કરીને નિરૂપણ કર્યું છે. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અધઃકરણમાં વિકાસની શ્રેણી જઘન્ય છે, અપૂર્વકરણમાં મધ્યમ છે અને અનિવૃત્તિકરણમાં ઉત્કૃષ્ટ છે. અધઃકરણમાં વિકાસની ગતિ અત્યંત મંદ હોય છે, અપૂર્વકરણમાં કંઈક અધિક અને અનિવૃત્તિકરણમાં વિશેષ હોય છે. અધઃકરણમાં અનેક જીવોનાં પરિણામોની તરતમતા ઘણી અધિક હોય છે, અપૂર્વકરણમાં ઘણી અલ્પ હોય છે અને અનિવૃત્તિકરણમાં હતી જ નથી. આ ભૂમિકામાં યુગપત્ પ્રવેશ કરવાવાળા સર્વ જેના પરિણામે સમાન હોય છે અને પ્રતિક્ષણ વિશુદ્ધિની વૃદ્ધિ કરવાવાળી ગતિ પણ સમાન હોય છે. આ ભૂમિકામાં જીવ શીવ્રતાથી તત્વાલક પ્રત્યે દોડ લગાવે છે અને અંતમાં તેને હસ્તગત કરીને સંસારસાગરના કિનારા નજીક પહોંચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248