Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 226
________________ પાંચ લબ્ધિ ૨૦૯ પણ સાક્ષાત્ હેતુ છે. તેથી સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે પુણ્યનું અવલંબન ન્યાયી છે. પાંચ લબ્ધિના પ્રકરણમાં નિબદ્ધ વિષયે અત્યંત વૈજ્ઞાનિક છે અને સૂમ દષ્ટિએ જોતાં પિતાની અંદર પ્રત્યક્ષ સમજાય છે. વ્યક્તિને અનેક ઉપલબ્ધિઓ નિત્ય પ્રાપ્ત હોય છે, જેમાં મહદંશે ભૌતિક હોય છે અને ઘણી આધ્યાત્મિક પણ હોય છે. પરંતુ બહિર્મુખતા હોવાને કારણે જીવનતિના ક્ષેત્રમાં તેનું કંઈ મૂલ્ય નથી. પાંચ લબ્ધિના પ્રકરણમાં ચેતનાની અંતર્મુખી આ પાંચ ઉપલબ્ધિઓનું વિવેચન આપવામાં આવ્યું છે. તે દષ્ટિને બહારથી દૂર કરીને ક્રમે ક્રમે અંતરંગ પ્રત્યે લઈ જાય છે. તકલેથી દૂર કરીને ભાવલેકમાં લઈ જાય છે. શરીર ઇંદ્રિય, મન તથા બુદ્ધિથી દૂર કરીને હૃદય પ્રત્યે લઈ જાય છે. વાસ્તવમાં એ પાંચે મુમુક્ષુ માટે પ્રથમ સપાન છે, જેના દ્વારા તે ઉત્તરોત્તર ઉન્નત થતી જાય છે, તેની દષ્ટિ તત્વલોકમાં પ્રવેશ પામવાને સમર્થ બને છે. તેથી તે પુણ્યને વિશિષ્ટ ગણ્યું છે. કમન્નત આ પાંચ ઉપલબ્ધિઓનાં નામ પશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ તથા કરણલબ્ધિ છે. ૨. ક્ષયપશમલબ્ધિ સમજવાની તથા સમજાવવાની શક્તિનું પ્રાપ્ત થવું તે “ક્ષપશમલબ્ધિ છે. જોકે કીટ, પતંગ આદિ જંતુનિઓ સિવાય સર્વ જીવોને સમજવાની તથા સમજાવવાની ૧૪ Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248