Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra

View full book text
Previous | Next

Page 230
________________ ૨૧૩ પાંચ લબ્ધિ તેની આંખ બંધ હોવાથી તે પહેલાં જોઈ શક્યું ન હતું. ગુરુની પ્રાપ્તિ તેને કઠણ ન હતી પરંતુ શિષ્યત્વની પ્રાપ્તિ કઠણ હતી. અભિમાન ગળી જવાથી તેના શિષ્યત્વને ઉદય થવાથી તેને ગુરુનાં દર્શન થઈ ગયાં. શીધ્ર તે ગુરુના ચરણમાં મૂકી પડે છે અને તેમને સર્વાર્પણ થઈ જાય છે. ગુરુ સિવાય હવે તેના પર કોઈની સત્તા ચાલતી નથી, કે તેને હવે કઈ કર્તવ્ય પણ શેષ નથી. ગુરુ જે આજ્ઞા કરે તે તેને શિરેમાન્ય હોય છે. તે હવે ઉપદેશ નથી આપતે પણ આદેશને ધારણ કરે છે. તેની તર્કબુદ્ધિ હવે વિરામ પામી છે. ગુરુને આદેશ થાય તે સુધાતૃષા સહન કરી લે છે. કૂવામાં ભૂસકે મારવાનું કહે તે મારે છે, અગ્નિમાં કૂદી પડવાનું કહે છે તેમ કરવા તત્પર થાય છે. શિરછેદ પણ કરી શકે છે. તે જ શિષ્યત્વ છે. કેવળ આજ્ઞાપાલન અન્ય કંઈ જ નહિ તેવી તેની તત્પરતા છે. તર્ક રહિત હૃદય દ્વારા જ ગુરુને અપાર મહિમા સમજમાં આવે છે. તેમને મહિમા કેવળ ઉપદેશ પૂરતે સીમીત નથી, તે તે શાસ્ત્રના અભ્યાસ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. જેની પાસે હૃદયભાવ જેવું કંઈ નથી તે આ રહસ્ય સમજી નહિ શકે, દેશનાને માત્ર શાબ્દિક ઉપદેશ સમજવાવાળાની દૃષ્ટિ ભૌતિક છે. દેશના કેવળ શાબ્દિક ઉપદેશનું નામ નથી. શાબ્દિક ઉપદેશ હોય કે ન હોય તેનું કેઈ અધિક મહત્વ નથી. દેશના લબ્ધિ હૃદયના ભાવ દ્વારા પ્રાપ્ત થાય છે. ગુરુના હૃદયમાંથી શિષ્ય પ્રત્યે આશીર્વાદપૂર્ણ સંભાવનાઓ તથા પ્રેરણાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248