________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-શોભનના પિતા.
શકે છે. પ્રબંધ ચિંતામણિમાં પૂર્વકાલની દષ્ટિએ વિશાલા (ઉજજેની)ને અને પ્રભાવક ચરિત્રાદિમાં ઉત્તરકાળની દષ્ટિએ ધારાને ઉલ્લેખ છે એમ જણાય છે.
શોભનને માટે ઉલ્લેખ કરનારા ગ્રંથ છે તેમાં જૂનામાં જૂના
ગ્રંથ શોભનના સગાભાઈ કવિ ધનપાલની શોભનના પિતા. તિલક-મંજરી, શેભનસ્તુતિચતુર્વિશિકા
ટકા, પ્રભાચંદ્રકૃત પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણી જેવા ઐતિહાસિક ગ્રંથ છે. તે બધામાં શેભનના પિતાનું નામ “સર્વદેવ” લખ્યું છે, સર્વદેવ નામ સિવાય બીજા નામવાળા ગ્રંથો ઘણા અર્વાચિન અને ઐતિહાસિક દષ્ટિએ મહત્વના નહિ હોવાથી તેમાં લખેલાં બીજા નામે વિશ્વસનીય નથી. વળી ઉપદેશ પ્રાસાદમાં શેભનના પિતાનું નામ લક્ષ્મીધર લખ્યું છે તે તે બ્રાન્તિ મૂલક છે.
૧ શરૂઆતમાં પ્રબંધ ચિંતામણિકાર “પુરસદ્ધશાસ્ત્રાવ વિરારા પુર ” કહી સર્વદેવની નિવાસ નગરી ઉજેને બતાવે છે પણ જ્યારે શબનમુનિ વિદ્વાન થઈ ફરી માલવામાં પોતાના ભાઇને પ્રતિબોધવા આવ્યા છે ત્યારે તેઓ ધારાનગરીમાં આવ્યા છે એ ઉલ્લેખ કરે છે. જેમ – " अभ्यस्तसमस्तविद्या स्थानेन धनपालेन श्रीभोजप्रसादसम्प्राप्तसमस्तपण्डितप्रष्टप्रतिष्ठेन निजसहोदरामर्षभावाद् द्वादशाब्दी यावत् स्वदेशे निषिद्धजैनदर्शनप्रवेशेन तद्देशोपासकैरत्यर्थमभ्यर्थनया गुरुष्वाहूयमानेषु सकलसिद्धान्तपारावारपारदृश्वा स 'शोभननामा' तपोधनो गुरूनापृच्छय तत्र प्रयातो धारायां प्रविशन् पण्डितधनपालेन राजपाटिकायां व्रजता तं सहोदरमित्यनुपलक्ष्य સૌપા મા! મત્ત ! નમસ્તે રૂતિ ગોત્તે”.પ્રબંધચિંતામણિ (જિનવિજયજી સંપાદિત) પૃ. ૩૬.
આનાથી મારી કલ્પના મજબૂત થાય છે કે –ોભન વિગેરે પહેલાં ઉજ્જૈનમાં રહેતા હતા અને પાછલથી ધારામાં રહેવા આવ્યા. આમ માનવાથી બન્ને મતને સમન્વય પણ થાય છે.
For Private And Personal Use Only