Book Title: Jeetvijayji Dadagurunu Jivan Charitra
Author(s): Buddhivijay
Publisher: Bhabher Jain Sangh

View full book text
Previous | Next

Page 73
________________ [૭૦ ]. ચાર શરણ ગ્રહણ કરવાં જોઈએ; દુષ્કત (પાપ) ની નિંદા કરવી જોઈએ, અને સારાં કામની અનુમોદના કરવી જોઈએ; અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઇએ. | ૩ જ્ઞાનમાં, દશનમાં, ચારિત્રમાં, તપમાં અને વીર્યમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે લેવવા જોઈએ. | ૪ સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓને વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય, અથવા તેમની અવજ્ઞા કરી હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ ૬ છે પાંચ પ્રકારનાં જ્ઞાનની નિંદા કરી હોય, અથવા ઉપહાસ ( મશ્કરી) કર્યો હોય, અથવા ઉપઘાત કર્યો હોય, તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. છે ૭ | જ્ઞાનનાં ઉપકરણ પાટી પરથી વિગેરેની જે કાંઈ આશાતના થઈ હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. આટલા નિઃશંકા વિગેરે આઠ પ્રકારના ગુણ સહિત જે સમ્યકત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. | ૯ | જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય, અથવા અભક્તિથી પૂજા કરી હોય, તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦ દેવદ્રવ્યને મેં જે વિનાશ કર્યો હોય, અથવા બીજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94