Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ मुनिश्री वृद्धिसागरजी जीवनचरित्र । આ મહાત્મા મુનિ મહારાજને જન્મ, શ્રી સિદ્ધાચળ તીર્થની પવિત્ર છાયામાં આવેલા શ્રી પાલીતાણા નગરમાં વિશા શ્રીમાલી જેના શ્રાવક શેઠ તથા તેમની માતાની કુખે વિક્રમ સં. ૧૯૪૪ની સાલમાં થયેલ હતું. તેમનું વર્ધમાન નામ આપ્યું. તેમણે બાલ્યાવસ્થામાં ગુજરાતી ભાષાની કેળવણી લીધી હતી અને તેથી તેમનામાં કેટલાક ધાર્મિક ગુણે ખીલવાનું સાધન પ્રગટયું હતું. તેઓ અનેક મુનિવરોના સમાગમમાં આવ્યા હતા. પાલીતાણામાં સેંકડો મુનિયે આવતા હતા અને તેને લાભ તેઓ લેતા હતા. તેથી વર્ધમાન ભાઈમાં વૈરાગ્ય ભાવના ખીલી હતી અને તેઓ સિદ્ધાચલ ગિરિની યાત્રા ઘણો વખત કરતા હતા તથા દરરોજ સામાયિક અને પ્રતિક્રમણ કરતા હતા. કેઈ કઈ વખત પૈષધ પણ કરતા હતા. તેમના માતા પિતા મરણ પામ્યા બાદ તેમને ચારિત્ર ગ્રહણ કરવાની જીજ્ઞાસા ઉત્પન્ન થઈ પણ તેઓના સગા વહાલા તથા શેઠ દેવચંદ પીતામ્બર કે જે તેમના કાકા થતા હતા તેમના અવરોધથી દીક્ષા લેવામાં કેટલીક અડચણ આવતી હતી, તેમનાં સગાં-વહાલાં એ તેમને વેપાર વગેરે કરીને તેમને સંસારમાં રહેવા કહેતાં હતાં, અને તેથી તે કેટલાક વખત સુધી વેપારમાં તથા નોકરીમાં પિતાનું અમૂલ્ય જીવન ગાળવા લાગ્યા, પણ તેઓ આત્માથી હોવાથી તથા ત્યાગી થવાની તેમની તીવ્ર જીજ્ઞાસા હોવાથી સંસારમાં તેમને રૂચવા લાગ્યું નહીં અને ગૃહસ્થ દશાના કાર્યો કરવામાં તેમને ચૅન પડ વા લાગ્યું નહી. તેથી છેવટે એકવીશમા વર્ષની ઉમ્મરે અમદાવાદ આવ્યા અને ત્યાં તેમને મુનિરાજશ્રી અમૃતસાગરજી સાથે મેળાપ થયે અને મુનિશ્રી અમૃતસાગરજીનાં ઉપદેશથી તેમણે ચારિત્ર દીક્ષા. લેવાને પકકો વિચાર કર્યો. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજી એ માઘ માસમાં પાદરા તરફ વિહાર કર્યો ત્યારે તેઓ પણ ગૃહસ્થ દશામાં ગુરૂ મહારાજની સાથે ગામેગામ વિહાર કરવા લાગ્યા. આ ચાર્ય મહારાજ વડેદરે પધાર્યા અને ત્યાંથી પાદરા પધાર્યા. વધ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64