Book Title: Jain_Satyaprakash 1954 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સં કા ૨ લેખક-પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) સૂર્ય પોતાના પ્રતાપી કિરણોથી જગતને પ્રકાશિત કરી રહ્યો હતો. નિગ્રંથનાથ ભ. મહાવીર જ્ઞાનના કિરણોથી પ્રાણીસમૂહનાં હૈયાંઓને પ્રકાશિત કરી રહ્યા હતા. વસુંધરાને પાવન કરતા પ્રભુ આજ તે રાજગૃહનગરના મનહર ઉદ્યાનમાં પધાયા છે. ગુણશિલકના ચયમાં પ્રભુએ આસન જમાવ્યું છે. મગધરાજ બિંબિસાર અને પ્રજાજનો પ્રભુના દર્શને આવ્યા છે. સૌના હૈયામાં હર્ષ તે ક્યાંય માતે નથી. શું પ્રભુનાં શાન્ત નયનો છે ! શું એમની સૌમ્ય આકૃતિ છે ! શું એમનો સંયમથી દીપ દેહ છે! અને વાણી... ? વાણી તે નગાધિરાજ પરથી વહેતી ગંગાની જેમ છલ છલ કરતી વહી રહી છે! સૌ એને સાંભળી પરમ પ્રસન્ન બન્યા છે. ત્યારે સૂર્ય જેવા તેજસ્વી અને ચન્દ્ર જેવા સૌમ્ય શ્રી ગૌતમે માનવહૈયામાં ઘોળાતે પ્રશ્ન પૂછ્યો : પ્રભો ! આત્મા શાથી ભારે બની ગુરુત્વને પામે છે અને કયા પ્રકારે હળવો બની લધુત્વને પામે છે?' પ્રશ્ન ઊંડો હતો છતાં સમયોચિત હતો. સૌને જીવનના ભારથી હળવા બનવું હતું એટલે સૌની જિજ્ઞાસા વધી. વો મર્મ જાણવા બધા ઉત્સુક બન્યા. કણી નીતરતાં નયને સભા પર કર્યા. સભા ઉત્સુક હતી. પ્રભુ બોલ્યા: “ગૌતમ ! જેમ કોઈ પુરૂ અખંડ, સુકા, બેટા ને કાણા વિનાના તુંબડાને દાભથી બાંધી એના પર ચીકણી માટીને લેપ કરી એને સૂકવી નાખે, પછી સુકાયેલા એ તુંબડા પર ફરી માટીને લેપ કરે-આ રીતે આઠ વાર લેપ કરેલા તુને પાણીમાં નાખે છે, એ તરવાની શક્તિવાળું તુંબડું પાણીમાં તરતું નથી, પણ ડૂબી જાય છે, તેમ, આત્મા પણ હિંસા, અસત્ય, ચોરી, અસંયમ, ક્રોધ, માન, માયા ને લેભના કુસંસ્કારથી લેવાયેલ મૃત્યુ પામીને અધોગતિમાં જાય છે.......' હૃદય ને બુદ્ધિને સ્પર્શત આ ઉપદેશ સાંભળી સભા ડાલી રહી હતી ત્યાં વર્ધમાને કહ્યું : પણ ગૌતમ ! એ તુંબડા પરના લેપન પહેલે થર કેહવાય અને ઊખડી જાય છે એ થોડું અદ્ધર આવે, એમ કરતાં એ બધા થર ઊતરી જતાં, તુંબડું મૂળ સ્વભાવે હળવું થતાં, પાણીની સપાટી પર આવે છે. તે જ રીતે આત્મા પણ અહિંસા, સત્ય, અચૌર્ય, સંયમ, અપરિગ્રહ, ક્ષમા, મૃદુતા, સરળતા ને નિર્લોભતાના આચરણથી કુસંસ્કારને નિર્મળ કરી, હળવો બની ઊર્ધ્વગતિ પામે છે.....' કુસંસ્કારથી આત્માં ગુરુત્વને પામી અધોગામી બને છે. સુસંસ્કારોથી આત્મા લઘુત્વને પામી ઊર્ધ્વગામી બને છે ! પ્રભુનાં દર્શન કરી પાછા ફરતા સભાજનોના મુખ પર જ્ઞાનને પ્રકાશ હતા અને રાગૃહના ધરધરમાં સંસ્કારની ચર્ચા જામી હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30