________________
[૨૦]
શ્રી જન સત્ય પ્રકાશ
તેજસ્યા મૂકી, અને મેં શીતલેસ્યા મૂકી તેને બચાવ્યા. તથા ગોશાલકના પૂછવાથી તેને તેજોલેસ્થાની વિધિ પણ જણાવી. હે ગૌતમ! એકદા મંખલિપુત્ર ગોશાલકની સાથે ફર્મગ્રામથી સિદ્ધાર્થગામ તરફ મેં વિહાર કર્યો. રસ્તામાં પેલું તલના છોડવાળું સ્થાન આવ્યું. ગોશાલકે પૂર્વની વાતને તાજી કરી. યાવતુ તપાસ કરતાં મારા કહેવા પ્રમાણે નીકળ્યું. આ સમયે ગોશાલકે પરિવર્તવાદને સ્વીકાર્યો અને મારાથી જુદે પડયો. જુદા પડયા બાદ ગોશાલકે તેજલેશ્યા સાધી. એકદા ગશાલકને છ દિશાચરે મળ્યા...યાવત્ આ શ્રાવસ્તીમાં આવીને અજિન છતાં જિન કહેવરાવી રહ્યો છે, પરંતુ હે ગૌતમ! તે વાત મિથ્યા છે.
આ રીતે પરમાત્મા મહાવીરે ગૌતમ મહારાજને ગોશાલકનું જન્મથી આરંભી ચરિત્ર કહી સંભળાવ્યું. ગોશાલકનું આ ચરિત્ર નગરમાં ચર્ચાતાં, તે બીના ગોશાલકના કાન પર આવી. પ્રચય કોપાનલે તેને ઘેરી લીધે. તે આતાપન ભૂમિથી હાલાહાલા કુંભારણને ત્યાં આવ્યો અને આજીવિક સમુદાય પણ ત્યાં એકત્રિત થયા. આ અવસરે ગોચ રીને માટે નીકળેલા પ્રભુ મહાવીરના શિષ્ય આનન્દ નામના અણગાર, નજીકમાંથી ચાલ્યા જતા હતા. ગોશાલકે તેમને બોલાવી, ચાર વણિકનું દષ્ટાંત આપી ધમકી આપતાં કહ્યું કે, “હે આનન્દ! તારા ધર્માચાર્યને આ હકીકત જણાવ.” આનંદ મુનિવરે શીધ્ર આવીને પ્રભુ મહાવીરને સઘળું નિવેદિત કર્યું. અને પૂછયું કે ભગવન! ગોશાલક તપતેજથી બાળવા સમર્થ છે? ત્યારે પ્રભુએ જણાવ્યું કે, “હે આનન્દ! ગોશાલક તપતેજથી બાળવા સમર્થ છે, પરંતુ તેનું સામર્થ્ય તીર્થકર ભગવંત પાસે ચાલી શકતું નથી, કારણ કે તેઓ તેના કરતાં અનન્તગુણ વિશિષ્ટ તપવાળા હોય છે, અને ક્ષમાના ભંડાર હોય છે. હે આનન્દ, તમે જઇને ગૌતમાદિ મુનિવરોને ખબર આપો કે ગોશાલક શ્રમણ નિગ્રંથ પ્રત્યે વિપરિણામવાળો થયો છે માટે કોઈએ તેની સાથે ચર્ચા કરવી નહિ. આનન્દ મુનિવરે જઈને કહ્યું. એટલામાં તે ગોશાલક પોતે જ આજીવિક સમુદાય સાથે પ્રભુ મહાવીર પાસે આવ્યા. અને પરમાત્મા મહાવીરને કહેવા લાગે કે-હે આયુમન, કાશ્યપ, તમે મને તમારા શિષ્ય સંખલિપુત્ર ગોશાલક તરીકે જાહેર કર્યો, તે બહુ સારું કર્યું છે. પરંતુ ધ્યાન રાખજો કે તમારે શિષ્ય જે ગોશાલક હતું તે તે મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો છે, અને તેનું શરીર ઘણું સારું જાણું મેં તેમાં પ્રવેશ કર્યો છે, માટે હું તે અન્ય જ છું.”
આ સાંભળી પરમાત્મા મહાવીરે કહ્યું: ” હે ગોશાલક, જેમ કોઈ ચોર, પકડવા પાછળ પડેલા માણસેથી બચવા ગુપ્ત સ્થાન ગોતે, અને તે ન મળે આંગળી ચા તરખલું આડું રાખી પિતાને ઢંકાએલ માને તેવી સ્થિતિ તે કરી છે. પરંતુ આમ કરવું તને ઉચિત નથી. તું તે જ ગોશાલક છો” આ સાંભળતાં જ ગોશાલકને પાનલ ફાટી નીકળ્યો, અને અતિ તુચ્છ શબ્દોમાં ભગવાન મહાવીરનું અપમાન કરવા લાગ્યા. પ્રભુ મહાવીરનું ખોટી રીતે અપમાન થતું જાણું ભક્તિરસથી પ્રેરાઈ ક્રમશઃ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિવરે કહ્યું કે-ભલા-ગોશાલક! જેની પાસેથી એક પણ ધાર્મિક વચન શિખ્યા
હેઈએ તેનું કેટલું બહુમાન સાચવવું જોઈએ, તેને બદલે જે ભગવાન મહાવીરે તને Jain Educatiદીક્ષા આપી છે, સુંદર શિખામણ આપી છેonયાવત્ બહુશ્રત કર્યો છે તેમને માટે આelibrary.org