________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
નહિ, કારણ કે પ્રસ્તુત રોગમાં દાહ શમાવી શીતતા આપનાર વરતુની જરૂરત છે. માંસની ઉષ્ણતા માટે જુઓ વૈદ્યકવચન
જિર્ષિ કcom ગુરુ પિતાના ઘર ” “ માં વારિરિ પૂર્ણ...”
આ વ્યાધિના ઔષધ તરીકે કાળાપાક તથા બિજોરાપાક કામ આવી શકે, જીએ વૈકગ્રંથ કયદેવ નિઘંટુ
कूष्माण्डं शीतल वृष्यं स्वादु पाकरसं गुरु । हचं लक्ष रसस्यन्दि श्लेष्मलं वातपित्तजित् ॥ कूष्माण्डशाकं गुरुसन्निपातज्वरामशोकानिलदाह हारि ॥
આ શોમાં કેળાને શીતલ અને પિત્તહરણ કરનાર તથા તેના શાકને જ્વર તથા દાહને શાંત કરનાર તરીકે વર્ણવેલ છે. તથા જુઓ સુતસંહિતા
श्वासकासारुचिहरं तृष्णानं कष्ठशोधनम् । लध्वम्लं दीपनं इथं मातुलुंगमुदाहृतम् ॥ त्वक् तिक्त दुर्जरा तस्य वातकृमिकफापहा। स्वादु शीतं गुरु स्निग्धं मांस मारतपित्तजित् ॥
ભાવાર્ય–શ્વાસ, ખાણ અને અરુચિને હઠાવનાર, તુષા મટાડનાર, કંઠને સાફ રાખનાર, લધુ, ખટાશવાળું, જઠરાગ્નિને તેજ કરનાર અને હૃદયને અનુકૂળ એવા પ્રકારનું બિરું છે. આ બિજેરાની છાલ વાત, કરમિયા અને કફનો નાશ કરનારી છે. તથા આ બીજારાનું માંસ-વચલે ગલ સ્વાદિષ્ટ શીતળ ગુરુ સ્નિગ્ધ અને વાત-પિત્તને હરણ કરનાર છે. આ શ્લોકમાં સુશ્રુતે માંસ શબ્દ કુળના ગલ માટે વાપરેલ છે, અને તેને શીતલ તથા પિત્ત હરનાર જણાવેલ છે.
લેખક આગળ ચાલતાં એક સ્થલે આ વૈશ્વિક પ્રક્રિયાની ઈંચવણથી ગભરાતાં જણાવે છે કે આ વ્યાધિ અલૌકિક છે, અને તેને ઈલાજ પણ અલૌકિક છે. માટે વૈદકમંથને વિચાર કરે તે નકામો છે. ખરેખર આ બીના લેખકની નબળાઈ સૂચવે છે, તથા તે યુતિવાદ આગળ ટકી શક્તી પણ નથી.
- આ વ્યાધિને માટે જે અલૌકિક જ ઇલાજ અભિપ્રેત હતું તે રેવતીને ત્યાંથી લૌકિક વસ્તુ શા માટે મંગાવી અને તેનાથી વ્યાધિ પણ કેમ શાંત થયો?
ગોશાલકને પણ આ જાતને પિત્તજ્વર હતા અને તેને શમાવવા તેણે આંબાની ગોટલી ચૂસી હતી તથા ભાટડીવાળું પાણું શરીર છાંટયું હતું એમ ભગવતી સૂત્ર સ્પષ્ટ પ્રતિપાદન કરે છે, આ વાત પણ કઈ રીતે ઘટી શકે? તથા લેખકને પૂછવામાં આવે છે કે અલૌકિક વ્યાધિને અર્થ શો? વોકમાં ન દેખાય તેનું નામ અલૌકિક હિતા છે તે તે વ્યાજબી નથી, કારણ કે આ વ્યાધિ લૌકમાં દેખાય છે. કદાચ એમ
www.jainelibrary.org