Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 25
________________ ૨૨ [22] જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ભાગ-૧ કે લખવું એ એમને મન રમત વાત થઈ ગઈ. એમણે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખ્યું અને એનો શબ્દકોશ પણ તૈયાર કરીને છપાવ્યો. આ રીતે ગણિત ઉપરાંત વ્યાકરણ અને શબ્દકોશ પણ એમના રસના વિષયો બની ગયા. આગળ જતાં એમણે “પાઈપ (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય' એ નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણે પ્રાકૃત ભાષાનું સ્વરૂપ, એના પ્રકારો અને એમાં લખાયેલા સાહિત્યનો સવિગત પરિચય આશરે અઢીસો પેટાશીર્ષક હેઠળ આપ્યો છે. હીરાલાલભાઈ અને ઈન્દિરાબહેનનું દામ્પત્યજીવન કેટલું મધુર હતું. તેની પ્રતીતિ તો STRIELLELGULESZA Bharti vino 42045 'The student's English Paiya Dictionary'ril 24491 પત્રિકા વાંચતાં થાય છે. આ પુસ્તક એમણે ઈન્દિરાબહેનને અર્પણ કર્યું છે અને એની અર્પણપત્રિકા પ્રાકૃત ભાષામાં લખી છે, જે નીચે પ્રમાણે છે : पणामपत्तिमा-जीए मज्झ नाणाराहणम्मि सययमणेगहा सुगमत्तणं कडं तीए मे धम्मपदिणीए इन्दिराए पणमिज्झइ साणन्दं इमो विज्जत्थिणो अङ्गिल-पाइय सद्दकोसो हीरालालेण सिरि रसिकदास तणएण वीरसंवच्छरे २४६७ मे नाण पञ्चमीए इन्दुवासरे (४-११-४०) રસિકદાસના ત્રણે દીકરાઓ મુંબઈ રહેવા ગયા હતા. બીજી બાજુ સૂરતમાં એમની તબિયત સારી રહેતી નહોતી અને દુકાન પણ બરાબર ચાલતી નહોતી. આથી તેઓ પત્ની સાથે મુંબઈમાં હીરાલાલભાઈ સાથે રહેવા આવી ગયા. આ બાજુ પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું કાર્ય પૂરું થઈ જતાં અને આવક બંધ થતાં હીરાલાલભાઈ માટે ફરી પાછો કુટુંબના નિર્વાહનો સવાલ ગંભીર બની ગયો હતો. તેમાં માતાપિતા સૂરતથી રહેવા આવેલાં. બંને નાના ભાઈઓ અને બંને બહેનોનાં લગ્નના ખર્ચ થોડે થોડે વખતે આવેલા. બીજા વ્યવહારો કરવાના આવતા. પોતાના સંતાનોને ભણાવવાનો ખર્ચ હતો. કમાણી કંઈ જ નહિ અને ખર્ચ તો વધતા જ જતા હતા. માથે દેવું થતું જતું હતું. આવી તંગ પરિસ્થિતિમાં કામકાજ વગરના હીરાલાલભાઈ વારંવાર નિરાશ થઈ જતા. એમ કરતાં કરતાં તનાવ અને તીવ્ર હતાશાને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડવા લાગ્યા. તેમને નર્વસ બ્રેકડાઉન જેવું થઈ ગયું હતું. આવી માનસિક દશામાં એમના વિષમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ આપઘાત કરવાનો વિચાર એમના મનમાં આવી ગયો. તેઓ મકાનના કઠેડા ઉપર ચઢી પડતું મૂકવા જતા હતા ત્યાં એમનું સતત ધ્યાન રાખનાર એમનાં પત્ની ઈન્દિરાબહેને તરત પાસે દોડી જઈ એમનું પહેરણ ખેંચીને નીચે ઉતાર્યા અને ઘરમાં લઈ આવ્યાં. ત્યાર પછી તેઓ સતત હીરાલાલભાઈની સંભાળ રાખવા લાગ્યાં અને સાંત્વન આપવા લાગ્યા. આ માનસિક માંદગી બે વર્ષ ચાલી એની અસર હીરાલાલભાઈના શરીર ઉપરાંત એમની બુદ્ધિશક્તિ અને સ્મરણશક્તિ ઉપર થઈ. કુટુંબીજનોએ એક કુશળ વૈદ્યના ઉપચાર ચાલુ કર્યા. વૈદ્ય એક ઔષધિ દૂધમાં પલાળીને રોજ સવારના ખાવા માટે આપી હતી. એમ કરતાં ધીરે ધીરે એમની માનસિક સ્વસ્થતા વધતી ગઈ અને સ્મરણશક્તિ પણ પાછી આવવા લાગી. બે વર્ષને અંતે તેઓ પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. મૃતિશક્તિ બરાબર સારી થઈ ગઈ. ત્યાર પછી તેઓ પોતાનું લેખનકાર્ય પહેલાંની જેમ જ વ્યવસ્થિત રીતે કરવા લાગ્યા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 ... 340