Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 238
________________ પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૪૭-૨૫૧] ૧૫૫ સૂક્તાવલી (લ. વિ. સં. ૧૨૮૦) – ચ. પ્ર. (પૃ. ૧૨૬)માં પદ્માનંદ મહાકાવ્ય વગેરે રચનારા અમરચન્દ્રસૂરિની કૃતિઓ ગણાવતી વેળા આનો ઉલ્લેખ કરાયો છે પણ આ કૃતિની એકે હાથપોથી હજી સુધી તો મળી આવી નથી. 'વિવેક-કલિકા અને વિવેક-પાદપ (લ. વિ. સં. ૧૨૮૦) - આ બે સૂક્તિસંગ્રહ છે અને એ બંનેના કર્તા અલંકાર-મહોદધિના પ્રણેતા નરેન્દ્રપ્રભસૂરિ છે. પહેલા સૂક્તિ સંગ્રહમાં ૧૧૦ પદ્યો અને બીજામાં ૪૨૧ પદ્યો હોવાનું અનુમનાય છે. વિવેકકલિકા ભિન્ન ભિન્ન છંદોમાં રચાયેલી છે. જ્યારે વિવેકપાદનાં ઉપલબ્ધ ૧૦૯ પદ્ય પૈકી ૧૦૭ અનુષ્ટ્રભુમાં છે. બાકીનાં બે પદ્ય પ્રશસ્તિ-રૂપ છે અને એ બે પદ્ય અનુક્રમે શાર્દૂલવિક્રીડિત અને P ૨૫૦ વસન્તતિલકા છંદમાં છે. આ બંને કૃતિમાંથી અવતરણો પત્તન સૂચી (ભા. ૧ પૃ. ૧૮૭)માં અપાયાં છે. પરંતુ આ બંને કૃતિ પાટણના ભંડારની એક ખંડિત તાડપત્રીય હાથપોથીમાં અપૂર્ણ સ્વરૂપે મળે છે. એ હાથપોથીમાં વિવેકકલિકાનાં ૬૯ અને વિવેકપાદપનાં ૧૦૯ પદ્ય મળે છે. એ ઉપરથી જાણી શકાય છે કે આ બંને કૃતિઓ મોટે ભાગે સુભાષિતો પૂરાં પાડે છે, જ્યારે જૈન ધર્મને લગતી બાબતો ઓછા પ્રમાણમાં નિરૂપાઈ છે. સુભાષિતાવલી (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા તિલકપ્રભસૂરિ છે. એઓ “પૂર્ણિમા ગચ્છના દેવસૂરિના શિષ્ય થાય છે. એમણે નીતિશાસ્ત્ર રચ્યું છે. એઓ વિ. સં. ૧૩૦૭માં શાંતિનાથચરિત્ર રચનારા અજિતપ્રભસૂરિના ગુરુ વીરપ્રભના ગુરુ હોય એમ ભાસે છે. જો એમ જ હોય તો એમની આ રચના વિ. સં. ૧૨૮૦ની આસપાસની હશે. સૂક્ત-રત્નાકર (લ. વિ. સં. ૧૨૮૦)- આના કર્તા ગૃહસ્થ માઘસિંહ ઉર્ફે મચથસિંહ છે. એ વિદ્યાસિંહના પુત્ર થાય છે. એમણે આ કૃતિ બે ભાગમાં વિભક્ત કરી છે. એનું પરિમાણ ૮૮૬૫ શ્લોક જેવડું છે. આની એક હાથપોથી વિ. સં. ૧૩૪૭માં લખાયેલી છે." સૂક્તિ-સમુચ્ચય (લ. વિ. સં. ૧૨૯૦)- આ નામ મેં યોજ્યું છે. આના કર્તા વસ્તુપાલ છે. P ૨૫૧ સોમેશ્વરકૃત ઉલ્લાઘ-રાઘવ (અંક ૮) ઉપરથી જણાય છે કે વસ્તુપાલને સૂક્તિઓ રચવાનો શોખ હતો. એમની કેટલીક સૂક્તિ નરનારાયણાનન્દના બીજા પરિશિષ્ટમાં અપાયેલી છે. ૧-૨. આ બે વિષે કેટલીક માહિતી ડૉ. સાંડેસરાએ એમની નિમ્નલિખિત કૃતિ (પૃ. ૧૪૨-૧૪૩)માં આપી છે : Literary Circle of Mahamatya Vastupala and its contribution to Sanskrit Litarature. આ કૃતિ “સિં. જૈ. ગ્રં.'માં ઈ. સ. ૧૯૫૩માં પ્રકાશિત કરાઈ છે. ૩. વિવેકપાદપનો શ્લો. ૨૪ અને વિવેકકલિકાના શ્લો, ૧૨, ૩૯ અને ૮૦ઉપર્યુક્ત અંગ્રેજી કૃતિમાં ઉદ્ભૂત કરાયા છે. ૪. આ નામની એક કૃતિ ધર્મકુમારે રચી છે. પ. જુઓ પત્તન.સૂચી (ભા. ૧, પૃ. ૧૩૭). ૬. એમને અને સાથે સાથે એમના ભાઈ તેજપાલને વીરધવલ રાજાએ વિ.સં. ૧૨૭૬માં મંત્રી નીમ્યા હતા (જુઓ જૈ. સા. સં. ઇ.નું પૃ. ૩૫૫). વસ્તુપાલનું અવસાન વિ. સં. ૧૨૯૬માં થયું હતું. (જુઓ જૈ. સા. સં. ઈ.નું પૃ. ૩૬૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340