Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 261
________________ ૧૭૮ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ P ૨૮૮ ઉલ્લેખ છે. કેટલેક સ્થળે માણિક્યચન્દ્ર પોતાના કાવ્યમાંથી ઉદાહરણ આપ્યાં છે. જયાં સંક્ષિપ્ત વિવરણ જોઈએ ત્યાં તે અને જ્યાં વિસ્તૃત જોઇએ ત્યાં તે એ પ્રમાણેની પ્રમાણપુરસ્સરની વ્યવસ્થાથી આ ટીકાનું મહત્ત્વ વધે છે. સામ્ય-કાવ્યપ્રકાશ (ઉં. ૯, શ્લો. ૮૫)માં ખગ, મુરજ અને પદ્મ એ ત્રણ બંધોનું એકેક ઉદાહરણ અપાયું છે. આ ત્રણ બંધોની રચના વિષે સંકેતમાં જે નિરૂપણ છે તે અ. ચૂ. અને વિવેક સાથે અક્ષરશઃ મળે છે તો આવું શું કારણ ? (૨) ટીકા-વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલા ‘તપા' ગચ્છના હર્ષકુલે આ રચી છે. (૩) સારદીપિકા- “ખરતરમ્ ગચ્છના જિનમાણિક્યસૂરિના શિષ્ય વિનયસમુદ્રગણિના શિષ્ય ગુણરત્નમણિએ પોતાના શિષ્ય રત્નવિશાલને માટે દસેક હજાર શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૬૧૦(?)માં રચી છે. (૪) વૃત્તિ-જયાનંદસૂરિએ ૪૪OO શ્લોક જેવડી આ વૃત્તિ રચી છે. (૫) ટીકા-ભાનુચન્દ્રમણિએ આ રચી છે. (૬) ટીકા–“ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ આ ટીકા રચી છે પણ તેનો થોડોક જ ભાગ બીજા અને ત્રીજા ઉલ્લાસ પૂરતો હજી સુધી તો મળી આવ્યો છે. જે ભાગ મળ્યો છે તેમાં યશોવિજયગણિએ વિવિધ મતો દર્શાવી પોતાનો મત પણ દર્શાવ્યો છે. [ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી સંપાદિત આ ટીકા હિન્દી અનુ. સાથે યશોભારતી પ્ર. મુંબઇથી વિ. સં. ૨૦૩રમાં પ્રસિદ્ધ થઈ છે.] અભ્યાસ-સોમસૌભાગ્ય કાવ્ય (સ. ૧૦)માં કહ્યું છે કે “કૃષ્ણ વાગેવતા”ના બિરુદથી વિભૂષિત જયચન્દ્રસૂરિએ ઘણા શિષ્યોને કાવ્યપ્રકાશ, સંમતિપ્રકરણ વગેરે ગ્રંથો ભણાવ્યા હતા. ૨૮૯ સરસ્વતીકંઠાભરણ (લ. વિ. સં. ૧૧૫૦)– પશૃંગારપ્રકાશ રચનારા અજૈન ગ્રંથકાર ભોજે ઉર્ફે ભોજદેવે આ રચ્યું છે. શ્રી કાણેના મતે આ મહાકાય કૃતિ ઓછેવત્તે અંશે સંગ્રહાત્મક છે. કાવ્યાદર્શ, ધ્વન્યાલોક વગેરેમાંનાં પદ્યો અહીં ગૂંથી લેવાયાં છે. કાવ્યાદર્શમાંનાં લગભગ બસો પદ્યોનો અહીં ઉપયોગ કરાયો છે. આ સરસ્વતીકંઠાભરણમાં આશરે ૧૫૦૦ ઉદાહરણો છે અને એથી સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ માટે એ ઉપયોગી છે. આ કૃતિ પાંચ પરિચ્છેદોમાં ૬૪૩ કારિકામાં રચાયેલી છે. રસ અને ગુણને પણ અહીં ‘અલંકાર કહેલા છે. એ આ કૃતિની એક વિશિષ્ટતા છે. ઉપમા વગેરેનો શબ્દ તેમજ અર્થના અલંકારરૂપે નિર્દેશ કરનાર તરીકે ભોજ લગભગ એકલા જ છે. ૧, આ કાવ્ય તે કર્યું તેની તપાસ કરવી બાકી રહે છે. ૨. આ સંબંધમાં મેં મારા લેખ નામે “અલંકારચૂડામણિ, વિવેક અને સંકેત”માં ચર્ચા કરી છે. આ લેખ “આ. પ્ર.” (પુ. ૫૧, અં. ૧૨)માં છપાવાયો છે. ૩. જુઓ સિદ્ધિચન્દ્રમણિકૃત ભાનુચન્દ્રમણિચરિત. આ સિદ્ધિચન્દ્રમણિએ કાવ્યપ્રકાશખંડન રચ્યું છે. ૪. આ અનેક વાર પ્રસિદ્ધ થયું છે. ૫. આના પ્રકાશ ૨૨-૨૪માં ૨૫૧ પાઇય અવતરણો છે તો એ હિસાબે સમગ્ર ગ્રંથમાં તો કેટલાંયે હશે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340