Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 242
________________ પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૫૪-૨૫૭] ૧૫૯ 'અનુવાદ– આનો ગુજરાતી અનુવાદ પં. હીરાલાલ હંસરાજે કર્યો છે. કર્તા-હિંગુલપ્રકરના કર્તા વિનયસાગર તે કોણ એ નક્કી કરવા માટે પૂરતાં સાધન નથી. જૈ. સા. સં. ઇ. (પૃ. ૬૦૬)માં એક વિનયસાગરનો કાવ્યકાલ વિ. સં. ૧૬૧૭માં દર્શાવાયો છે. અને પૃ. ૮૭૨માં એમના ગચ્છ તરીકે “ખરતર'નો ઉલ્લેખ છે. પૃ. ૬૫૬માં “અંચલ' ગચ્છના વિનયસાગર વિષે કહ્યું છે કે એઓ કલ્યાણસાગરસૂરિ (વિ. સં. ૧૬૭૦-વિ. સં. ૧૭૧૮)ના શિષ્ય થાય છે. એમણે ભોજવ્યાકરણ રચ્યું છે તેમજ એમણે સારસ્વત વ્યાકરણનાં સૂત્રોને છંદોબદ્ધ કરી વૃદ્ધચિન્તામણિ નામના ગ્રંથમાં ગૂચ્યાં છે. આ બે વિનયસાગર ઉપરાંત વિનયસાગર નામના એક ત્રીજા મુનિવર પણ છે. શું આ ત્રણમાંથી ? ૨૫૭ કોઈ એક અત્ર અભિપ્રેત છે કે પ્રસ્તુત ઉપા. વિનયસાગર આ બધાથી ભિન્ન છે એ જાણવું બાકી રહે છે. આ પરિસ્થિતિમાં હિંગુલપ્રકરનો રચનાસમય મેં કેવળ કલ્પનાના આધારે સૂચવ્યો છે. સભાષિતાવલી (વિ. સં. ૧૬૬૦)- સકલકીર્તિએ લગભગ ૪૦૦ સુભાષિતોના સંગ્રહનું સંકલન કર્યું છે. એની એક હાથપોથી વિ. સં. ૧૬૭૧માં લખાયેલી છે. શું આ કૃતિ તે જ એમણે રચેલી સુભાષિતરત્નાવલી યાને સુભાષિતાવલી છે ? સુભાષિત-વિજય-મત-શાસ્ત્ર- આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. આર્યાગાથા- આ મુખ્યતયા “આર્યા'માં રચાયેલાં ૧૪૦ પદ્યોની કૃતિ છે. એના કર્તાનું નામ જાણવામાં નથી. એમાં અનેક સુભાષિતો અપાયેલાં છે. આકૃતિનાં પ્રારંભનાં બે પદ્યો અને અંતમાંનાં ત્રણ પદ્યો મેં D C G C M (Vol. XVIII, Pt. 1, p. 269)માં આપ્યાં છે. આ અપ્રસિદ્ધ કૃતિની એક જ હાથપોથી મળતી હશે એમ જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૪) જોતાં અનુમનાય છે. સુભાષિતરત્નકોશ- આના કર્તા મુનિદેવ આચાર્ય છે. એમાં ૫૮ કારિકા છે. શું આ કૃતિ સંસ્કૃતમાં છે? સૂક્તમુક્તાવલી યાને સૂક્તિમુક્તાવલી- આના કર્તા મેઘપ્રભસૂરિ છે. એનો પ્રારંભ “શ્રીવર્ધમાનHfમનમ' થી થાય છે. સૂક્તરત્નાવલી (ઉ. વિ. સં. ૧૮૪૭)- આના કર્તા ક્ષમાકલ્યાણ છે. એઓ વિ. સં. ૧૮૦૧માં જન્મ્યા હતા. એઓ ખરતરમ્ ગચ્છના અમૃતધર્મના શિષ્ય થાય છે. એમણે પોતાના દાદાગુરુ જિનલાભસૂરિએ ૧. આ ભીમશી માણેકદ્વારા ઇ.સ. ૧૯OOમાં પ્રકાશિત છે. ૨. હિંગુલપ્રકારની વિવિધ હાથપોથીઓ જોવા મળે તો હિંગુલપ્રકર જ્યારે રચાયું તે વિષે અનુમાન થઈ શકે. કોઈક હાથપોથીમાં તો એ કૃતિ ક્યારે લખાઈ તેનો પણ નિર્દેશ હોય તો ના નહિ. ૩. જુઓ પૃ. ૮૦. ૪. આ “જૈ. આ. સ.' તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ થયેલી છે. પ. આ કૃતિ સ્વપજ્ઞ વૃત્તિ સહિત “શ્રી જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર” તરફથી અહીંથી (સુરતથી) આ છપાતી વેળાએ (વિ. સં. ૨૦૧૨)માં પ્રકાશિત કરાઈ છે. એની પ્રસ્તાવના (પૃ. ૧૧-૧૨)માં ક્ષમા કલ્યાણની ૨૫ કૃતિની નોંધ છે. ૬. આ નામની બીજી ત્રણ કૃતિ છે. જુઓ પૃ. 155, 156. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340