Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 178
________________ 888888 જેને સનાતન વીતરાગદર્શન (૧૦) વળી કેટલાક જીવો એવા હોય છે કે – જેમને કંઈક તો કુળાદિરૂપ બુદ્ધિ છે તથા કંઈક ધર્મબુદ્ધિ પણ છે. તેથી તેઓ કંઈક પૂર્વોક્ત પ્રકારે પણ ધર્મનું સાધન કરે છે, તથા કંઈક આગમમાં કહ્યું છે તે પ્રમાણે પોતાના પરિણામોને સુધારે છે; એ પ્રમાણે તેમનામાં મિશ્રપણું હોય છે. સારભૂત : બાહ્યક્રિયા ઉપર તો તેની દૃષ્ટિ છે પણ પરિણામ સુધારવાબગાડવાનો વિચાર નથી; જો પરિણામનો પણ વિચાર થાય તો જેવો પોતાનો પરિણામ થતો દેખે તેના ઉપર જ દષ્ટિ રહે છે, પણ તે પરિણામોની પરંપરા વિચારતાં અભિપ્રાયમાં જે વાસના છે તેને વિચારતો નથી અને ફળ તો અભિપ્રાયમાં વાસના છે તેનું લાગે છે. એવી ઓળખાણ વિના તેને માત્ર બાહ્ય આચરણનો જ ઉધમ છે. કોઈ જીવ એવું માને છે કે – જાણવામાં શું છે? કંઈક કરીશું તો ફળ પ્રાપ્ત થશે; એવું વિચારી તેઓ વ્રત-તપાદિ ક્રિયાના જ ઉદ્યમી રહે છે પણ તત્ત્વજ્ઞાનનો ઉપાય કરતા નથી; હવે તત્ત્વજ્ઞાન વિના મહાવ્રતાદિકનું આચરણ પણ મિથ્યાચારિત્ર જ નામ પામે છે; માટે પહેલાં તત્ત્વજ્ઞાનનો ઉપાય કરવો, પછી કષાય ઘટાડવા અર્થે બાહ્યસાધન કરવાં. જે જીવોને તત્ત્વજ્ઞાન નથી તેઓ યથાર્થ આચરણ આચરતા નથી. હવે પ્રયોજનભૂત બાબતોમાં જેવું વીતરાગી પ્રભુએ સ્વરૂપ કહ્યું છે તેનું અન્યથારૂપ કેમ છે તે વિચારીએ:(૧) સમ્યગ્દર્શનનું અન્યથા રૂપઃ (અ) દેવભક્તિ, ગુરુભક્તિ અને શાસ્ત્રભક્તિનું અન્યથાપણું સાચા દેવ-ગુરુ શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ સમજી તેનું શ્રદ્ધાન કરવું. વીતરાગ માર્ગમાં નિમિત્ત પણ વીતરાગી જોઈએ. સાતતત્ત્વોનું અન્યથારૂપઃ વળી શાસ્ત્રમાં “તત્ત્વાર્થશ્રદ્ધાનમ્ સગાવન’ એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદિતત્ત્વ લખ્યાં છે, તેમ પોતે શીખી લે છે, અને ત્યાં ઉપયોગ લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્ત્વોનો ભાવ ભાસતો નથી, અને ત્યાં તો તે વસ્તુના ભાવનું નામ જ તત્ત્વ કહ્યું છે તેથી ભાવ ભાસ્યા વિના તત્ત્વાર્થ શ્રદ્ધાન કયાંથી હોય? ભાવ ભાસતો નથી તેથી તે મિથ્યાદૃષ્ટિ જ રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202