Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 193
________________ જૈન સનાતન વીતરાગ દર્શન 8 8 8 8 8 (૨૦) આ વાતની પ્રેક્ટીકલ વસ્તુ કેમ છે તે વિચારીએ : (૧) પ્રત્યેક સંસારી જીવને પ્રત્યેક સમયે કર્મનો ઉદય હોય છે. (ઉદય એટલે સત્તામાં રહેલા કર્મો નિર્જરવા તૈયાર થયા છે) (૨) દરેક સમયે તું જેને મિથ્યામાન્યતાથી તારા માને છે ત્યાં કાંઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે પ્રત્યેક દ્રવ્ય, દ્રવ્ય-ગુણપર્યાયાત્મક છે. (૩) ત્યાં દૃષ્ટિ (લક્ષ) જતાં તારી ચારિત્રગુણની પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. (૪) અનાદિથી તારી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ઊંધી માન્યતાથી પોતાને ભૂલી એમાં જોડાઈ જવાથી તું દુઃખનો અનુભવ કરે છે અને નવું કર્મબંધન થાય છે. મિથ્યાત્વ પુષ્ટ થાય છે. (૫) હવે આચાર્ય કહે છે કે તું ભેદજ્ઞાન દ્વારા એ બધાથી ભિન્ન પડ ! તારી વર્તમાનજ્ઞાનની પર્યાયમાં એ વિવેક પ્રગટ થયો છે - (૧) એ બધા દ્રવ્યો સ્વતંત્ર છે. ક્રમબદ્ધ પોતાની ઉપાદાનની યોગ્યતાથી સ્વતંત્ર પરિણમી રહ્યા છે, ત્યાં કોઈપણ નિમિત્ત હાજર છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. (૨) તારી ત્યાં સત્તા નથી (૩) એ પરિણમનની સાથે તારા સુખ દુઃખને કાંઈ સંબંધ નથી. – એમ ભેદજ્ઞાનદ્વારા તું એ બધાથી ભિન્ન થા. - (૬) હવે તારા ચૈતન્યસ્વરૂપને ગ્રહણ કર ! એ સમયે પણ હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ જ છું. ‘ચૈતન્યમાત્ર જ છું.’ (૭) હવે જો સતત મહાવરાથી આ ભેદજ્ઞાનની ધારા જો બે ઘડી તૂટ્યા વગર ચાલુ રહે તો તારી વર્તમાનજ્ઞાનની પર્યાય શુદ્ધના આશ્રયે શુદ્ધ થતી જશે અને એ પૂર્ણ શુદ્ધ પર્યાયમાં ભગવાન આત્મા જણાશે. તને સમ્યગ્દર્શન થશે. આનંદના વેદન સહિત અનુભવ થશે. સુખી થવાનો આ એક જ ઉપાય છે. પ્રમાણ ઃ (૧)સમયસાર ગાથા ૭૪ ની ટીકાનો સાર ઃ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતા વેંત, સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિવડે જેમ જેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્રવોથી ૧૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202