Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 192
________________ 8 8 8 8 8 જેને સનાતન વીતરાગ દર્શન S k સારાંશ અભિપ્રાયની ભૂલ કેમ ટળે તેની આ વાત છે. (૧) સ્વરૂપ સંબંધી અભિપ્રાય માટે પ્રથમ યથાર્થ નિર્ણય કર, હું જ્ઞાનાનંદ સ્વરૂપી ભગવાન આત્મા છું. ત્રિકાળ વીતરાગ સ્વરૂપ જ છું.” (૨) હવે દરેક ઉદય પ્રસંગે ધારાવાહી ભેદજ્ઞાન કર.. (અ) આ ઉદય અને તેના નિમિત્ત શરીરાદિ મૂર્ત દ્રવ્યોથી ભિન્ન છું. (બ) આ પર્યાયમાં થતા વિકારીભાવો - રાગાદિક - શુભાશુભ તેનાથી હું ચૈતન્યભગવાન આત્મા ભિન્ન છું. (ક) હવે હું ચૈતન્યમાત્ર જ છું એને ગ્રહણ કર... (૩) આ રીતે દરેક સમયે પોતાના અને પરના સ્વરૂપ સંબંધી અભિપ્રાયની ધારા તૂટ્યા વગર જો બે ઘડી ચાલુ રહે અને એવો સ્વભાવ બની જાય કે જેના જોરે વિકલ્પ તૂટી નિર્વિકલ્પ અનુભૂતિ થઈ જાય. સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય. (૪) આ શ્રદ્ધાની નિર્મળ પર્યાય કેમ પ્રગટે તેની વાત છે. (૧૯) આ વાતનો સ્પષ્ટ ખુલાસો (શ્રી આત્મધર્મ/અંક ૬૨) બસ! બે ઘડી..... ગુરુદેવનું વિશેષ પ્રવચનનો સ્વાધ્યાય કરવો. મિથ્યાંદષ્ટિના મિથ્યાત્વનો નાશ કેમ થાય? અને ઊંધી માન્યતા અને અનાદિના પાપ કેમ ટળે? તેનો ઉપાય બતાવે છે. “હે બંધુ! તું ચોરાશીના કૂવામાં પડ્યો છે, તેમાંથી પાર પામવા માટે ગમે તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં કષ્ટો આવે તો પણ તેની દરકાર છોડીને, પુણ્ય-પાપરૂપ વિકારી ભાવોનો “બે ઘડી' પાડોશી થા, તો ચૈતન્યદળ તેને જુદું જણાશે. શરીરાદિ મન-વાણીની ક્રિયા તથા પુણ્ય-પાપના પરિણામ તે બધું પર છે. ઊંધા પુરુષાર્થ વડે પરનું માલીકીપણું માન્યું છે, વિકારી ભાવ તરફ તારું લક્ષ છે, તે બધું છોડી સ્વ સ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરી, એક મુહૂર્ત એટલે બે ઘડી (આ શરીરાદિથી છૂટો પડી) ચૈતન્યમૂર્તિને જુદો જો ! ચૈતન્યની વિલાસરૂપી મોજને અંતરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત છોડી દેશે, ઝટ દઈને છોડશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202