Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 327
________________ २७० જૈન ધર્મને પરિચય એટલે કે કષાય, તે પણ માત્ર લેભ (રાગ) સૂક્ષ્મ કેટિને ઉદયમાં રહે ત્યારે આ ગુણસ્થાનકે અવાય છે. ૧૧. ઉપશાન્ત મહ ગુણસ્થાનકે - ઉક્ત સૂક્ષ્મ લેભને પણ તદ્દન ઉપશાંત કરી દેવાય ત્યારે ઉપશાંત મેહનું આ ગુણસ્થાનક પમાય છે. અહીં જીવ વિતરાગ બને છે. મેહનીય કર્મ ઉપશાંત કર્યો એટલે એને તત્કાલ ઉદય અંતમુહૂર્ત માટે સર્વથા રે; પરંતુ સિલિકમાં તે એ પડ્યા છે, તેથી અંતમુહૂર્તમાં જ એ પાછા ઉદયમાં આવી જીવને નીચેના ગુણસ્થાનોમાં ઘસડે છે. એટલે અહીં સર્વથા ઉપશાન્ત થઈને જે વીતરાગદશા અને યથાખ્યાત ચારિત્ર મળ્યું હતું, તે અંતમુહૂર્તમાં લુપ્ત થઈ જાય છે, તેથી નીચેના ૧૦મા વગેરે ગુણઠાણે ઊતરી જાય છે. ૧૨. ક્ષીણમેહ ગુણસ્થાનક - જેમણે મેહનીય કર્મની “ઉપશમના કરતાં રહેવાનું કર્યું, તે તે ૧૧ મું ગુણસ્થાનક પામે છે, પરંતુ જેમણે પહેલેથી જ “ક્ષપણ” (ક્ષય) કરવા માંડે, તે ૧૦માને અંતે મેહ સર્વથા ક્ષીણ થઈ જતાં તરત ૧૨ મે આવી ક્ષીણમેહ વીતરાગ બને છે. હજી અહીં જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાય નામના ઘાતી કર્મ ઉદયમાં વતે છે, તેથી એ સર્વજ્ઞ નથી બન્યા, પણ છદ્મસ્થ વીતરાગ છે. છઘ=જ્ઞાનાવરણ કર્મનું આવરણ. ૧૩. સગી કેવળી ગુણસ્થાનક - બારમાને અંતે જ્યારે સમસ્ત ઘાતી કર્મોને નાશ કરે છે, ત્યારે અહીં આવી કેવળજ્ઞાન–કેવળદર્શન પામે છે. એ સર્વજ્ઞ બને છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362