Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 339
________________ ૨૮૨ જૈન ધર્મને પરિચય રહે છે, તે પ્રતિપાતી અને અપ્રતિપાતી; વળી કઈ ઉત્પત્તિક્ષેત્રની બહાર જીવની સાથે જઈ શકે છે, તે કઈ નથી જઈ શકતું, તે અનુગામી ને અનનુગામી; વળી કઈ વધતું ચાલે છે, તે કઈ ઘટતું, તે વધમાન અને હિમાન. –એમ છ પ્રકારે અવધિજ્ઞાન હોય છે. ૪. મન ૫ર્યાયજ્ઞાન : અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય એ ચિંતવન માટે મને વર્ગણામાંથી જે મન બનાવેલ હોય, તે મનનું પ્રત્યક્ષ કરવાનું ખાસ કાર્ય મન:પર્યાયજ્ઞાન કરે છે. એ અપ્રમાદી મુનિમહર્ષિને થાય છે. એના બે પ્રકાર છે, ૧. જુમતિ, ને ૨, વિપુલમતિ. ઋજુમતિ મનને સામાન્ય રૂપે જુએ છે, દા. ત. “આ માણસ ઘડે ચિંતવી રહ્યો છે ત્યારે, વિપુલમતિ વિશેષ જાણે છે, જેમકે “આ પાટલીપુત્રનગર અને અમુક કાળે તથા અમુકે બનાવેલો ઘડે વિચારી રહ્યો છે.” ૫. કેવળજ્ઞાન - ત્રણેય કાળના સર્વદ્રવ્યના સર્વપર્યાયને પ્રત્યક્ષ જોઈ શકે તે કેવળજ્ઞાન, ત્યાં હવે વિશ્વની કઈ કાળની કોઈ જ વસ્તુનું અજ્ઞાન નથી, માત્ર જ્ઞાન જ છે, માટે એ કેવળજ્ઞાન કહેવાય. આત્મા સમ્યક્ત્વ સહિત સર્વવિરતિ–ચારિત્ર, અપ્રમત્ત, અપૂર્વકરણ વગેરે ગુણસ્થાનકે ચઢતે આગળ જઈ શુક્લધ્યાનથી સર્વ મોહનીય કર્મને નાશ કરીને પછી સર્વ જ્ઞાનાવરણદર્શનાવરણ-અંતરાય કર્મને નાશ કરે, ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન નવું કઈ બહારથી નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362