Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 349
________________ ૨૯૨ જૈન ધર્મને પરિચય સમ્રાટ છે.” આમાં ઈન્દ્રનું જ્ઞાન એવંભૂત નયનું થઈ રહ્યું છે, કેમકે દેવસભામાં સિંહાસન પર ઈન્દ્રપણાના ઐશ્વર્ય સાથે બિરાજમાન દેવરાજાને જ ઈન્દ્ર તરીકે સમજી રહ્યો છે. એમ રસોઈ વખતે “ઘીને ડબો લાવે” (એટલે કે ઘી ભરેલ ડબો લાવે) એમ કહેવાય છે, તે એવંભૂત નથી; કેમકે ત્યાં ઘીને ભરેલ ડમ્બે કહે છે, ઘીને ખાલી ડઓ નહિ. (પૂર્વ ઘી ભરતા હતા પણ અત્યારે ખાલી છે, તે ઘડાને બાધ જો એમ કરાય કે એ ઘીને ઘડો માને છે, તો તે સમભિરૂઢ નયનું જ્ઞાન થયું.) આમ વસ્તુ એની એ છતાં એને જુદી જુદી અપેક્ષાએ અમુક અમુક ચેકસ પ્રકારે બોધ થાય છે, અને એ રીતે વ્યવહાર કરવામાં આવે છે, તે ભિન્ન ભિન્ન નયના ઘરના છે. એમ પદાર્થ ઉપર, દ્રવ્ય ઉપર, પર્યાય ઉપર, બાહ્ય વ્યવહાર ઉપર, કે આંતરિક ભાવ ઉપર દષ્ટિ રાખી ભિન્ન ભિન્ન નનું પ્રવર્તન થાય છે. તેથી ઉક્ત સાત નયને સક્ષેપ શબ્દનયઅર્થનય, કે દ્રવ્યાર્થિકનય-પર્યાયર્થિકનય, યા નિશ્ચયનયવ્યવહારનય ઈત્યાદિરૂપ થઈ શકે છે. * નિક્ષેપ ક એક જ નામ જુદા જુદા પદાર્થમાં વપરાય છે, દા. ત. (૧) કે છોકરાનું નામ રાજાભાઈ પાડયું છે, તે તે રાજા તરીકે સંબોધાય છે. એમ (૨) કોઈ રાજાના ચિત્રને પણ રાજા કહેવાય છે. વળી (૩) ક્યારેક રાજપુત્રને રાજા કહેવાય છે, આ બાપથી સવા રાજા છે, અને (૪) ખરેખર રાજા પણ રાજા કહેવાય છે. આમ “રાજા નું સ્થાપન કેવળ નામમાં, કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362