Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 358
________________ અનેકાંતવાદ (સ્વાદુવાદ) : સપ્તભંગી-અનુગ ૩૦૧ હવે આ સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ એ ઘડાના જ વિધેય અને નિષેધ સંબંધથી ધર્મ બન્યા. એના બે જાતના સંબંધીઓની અપેક્ષાએ સાત પ્રશ્ન ખડા થાય છે - ૧. ઘડે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ કે? તે કહેવાય કે “અસ્તિ” અર્થાત “સ” ૨. ઘડે પરદ્રવ્યાદિની અપેક્ષાએ કે? તે કહેવાય અસ.' ૩. ઘડો ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને પદ્વવ્યાદિની અપેક્ષાએ કે? તો કે “અસ્તિ અને નાસ્તિ” “સદસ ૪. ઘડે એક સાથે બંને અપેક્ષાએ કે?–અવક્તવ્ય” અર્થાતુ ન ઓળખાવી શકાય એવું કેમકે જે સત કહીએ તે તે કાંઈ બને અપેક્ષાએ સત નથી. એ જ રીતે અસતું પણ બને અપેક્ષાએ નથી. તેમ સત-અસત્ પણ ન કહી શકાય; કેમકે શું સ્વદ્રવ્ય પદ્રવ્ય બંને અપેક્ષાએ સત્ છે? ના. અસત્ છે? ના. અર્થાત્ બંને સંયુક્ત અપેક્ષાએ નથી તે સત્ કે નથી અસંતુ તથા એકલા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ પણ સદસત નથી, કે એકલા પરદ્રવ્યાદિની અપેક્ષાએ પણ સદસત્ નથી. એટલે એક સાથે ઉભયની અપેક્ષાએ શું કહેવું, એ વિચારણીય બને છે, અકથ્ય છે, અવાચ છે, અવક્તવ્ય છે. ૫. ઘડે ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કે? તે કહેવાય કે અતિ (સત) અને અવક્તવ્ય. ૬. ઘડે ક્રમશઃ પદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કે? તે કે નાસ્તિ (અસત) ને અવક્તવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362