Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 346
________________ નય અને નિક્ષેપ બહુ પ્રચલિત સંગ્રાહક ભેદ સાત છે,– નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજીસૂત્રનય, શબ્દ ( સાંપ્રત ) નય, સમભિદ્ભનય, અને એવ ભૂતનય. ૨૮૯ ૧. નૈગમનય :- પ્રમાણુ એ વસ્તુને સમગ્રતાએ જુએ છે, તેથી કેાઈ અપેક્ષા તરફ એની દૃષ્ટિ નથી. ત્યારે નય વસ્તુને એના અનેક અશેમાંથી એક અંશ રૂપે જીએ છે, તેથી એને અપેક્ષા તરફ દૃષ્ટિ હોય છે. ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન નયજ્ઞાન થાય છે, સ્થૂલ અપેક્ષાથી પ્રારંભનુ નૈગમનયજ્ઞાન થાય; અને સૂક્ષ્મ અપેક્ષાએ પછીના નચાનું જ્ઞાન હોય છે. વસ્તુમાત્રમાં એ અંશ,- સામાન્ય અંશ અને વિશેષ 'શ હૈાય છે. દા. ત. વસ્ત્ર, બીજા વજ્રની જેમ વસ્ત્રસામાન્ય છે, પણ એક ડગલા તરીકે એ વસ્ત્રવિશેષ છે. એમાં ય પાછુ એ ખીજા ડગલાની હારોહાર ડગલા–સામાન્ય છે; અને સફેદ હાઇ મીજા રંગીન ડગલા કરતાં ડગલે-વિશેષ છે. આમ એકેક વસ્તુ સામાન્યરૂપ પણ છે અને વિશેષરૂપ પશુ છે. એ જ સફેદ ડગલા વિશેષરૂપ જોયા. પર ંતુ સુતરાઉ તરીકે ખીજા રંગીન ડગલા સાથે સામાન્યરૂપ છે. કિન્તુ સુતરાઉ તરીકે રેશમી ડગલા કરતાં ડગલેા-વિશેષ છે; એમાં ય વળી ખીજા સુતરાઉ ડગલાના હિંસાએ એ સામાન્ય છે; પણ ખાસ સિલાઇવાળા તરીકે વિશેષ છે. આમ વસ્તુમાં કેઇ સામાન્ય વિશેષે છે; ને તે તે અપેક્ષાએ વસ્તુ અનેક સામાન્યરૂપે અને વિશેષરૂપે જાય છે, આ કાય નૈગમનય કરે છે. નૈગમ=નૈકગમ. ગમ એાય. નૈગમી–અનેક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362