Book Title: Jain Dharmno Parichay
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 323
________________ २६६ જૈન ધર્મને પરિચય અને શૌચ-સંતેષ-ઈશ્વરપ્રણિધાન-તપ-સ્વાધ્યાયસ્વરૂપ પાંચ નિયમ પાળવાવાળા હોય, તે બધા આવે. એમને મિથ્યાત્વની મંદતાથી આ ગુણ પ્રગટેલા છે. ૨. સીસ્વાદન ગુણસ્થાનક : એ પહેલા ગુણસ્થાનક કરતાં એટલું વિકાસવાળું છે કે એમાં મિથ્યાત્વદોષ ઉદયમાં નથી. છતાં આ ગુણસ્થાનક પહેલેથી થઢીને નથી પ્રાપ્ત થતું, કિન્તુ ચેાથે ગુણસ્થાનકેથી પડતાં આવે છે. તે આ રીતે કે જીવ જ્યારે સમ્યક્ત્વ-અવસ્થામાં ઢીલા પડે છે, અને મિથ્યાત્વ ઉદય પામ્યા પહેલાં એના અનંતાનુબંધી રાગાદિ કષાયે ઉદયમાં આવે છે, ત્યારે આ કષાયે સમકિતના ઘાતક હોવાથી એ એને સમ્યકત્વ-ગુણ નષ્ટ કરે છે, એટલે એ ચોથે ગુણઠાણેથી નીચે પડે છે. છતાં હજુ મિથ્યાત્વ ઉદયમાં નથી આવ્યું, એટલે જીવ ચોથેથી પડી બીજે સાસ્વાદન ગુણઠાણે આવે છે. અહીં ઉલટી કરી નાખેલા સમ્યક્ત્વનું કંઈક લેશ આસ્વાદન કરે છે, તેથી એ સાસ્વાદન કહેવાય છે. આ અવસ્થા અતિ અલ્પ કાળ (વધુમાં વધુ ૬ આવલિકા કાળ) ટકે છે, કેમકે ત્યાં અનંતાનુબંધી કષાયનું જોર મિથ્યાત્વને ઝટ ઉદયમાં ખેંચી લાવે છે, એટલે જીવ પહેલા ગુણસ્થાનકે ચાલ્યા જાય છે. (અસંખ્ય સમય=1 આવલિકા, ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા=૪૮ મિનિટ) અર્થાત ૧ સેકંડની લગભગ ૧૮૦૦ આવલિકા થાય.” - ૩. મિશ્ર ગુણસ્થાનક- પહેલા ગુણસ્થાનકવાળે જીવ મિથ્યાવ અને અનંતાનુબંધી રોકી મિશ્રમોહ વેદે છે, ત્યારે આ ગુણસ્થાનક પામે છે. તેમજ ચેથાવાળે પણ સમ્યક્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362