________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બી જન ધર્મ પ્રકાશ
[અશાર્ડ
જો જ્ઞાન અને ધ્યાનનું પ્રમાણ વધી જાય તે મતભેદો આપોઆપ એ ગળી જાય અને હૃદયની વિશાળતા પ્રભાતકાળને સૂર્યની જેમ વિકાસ પામે, એમ મારું નમ્ર માનવું છે.
શ્રમણસંધનું બંધારણ આ સ્થળેથી હું આપણું પૂજય આચાર્યો અને મુનિવરોને સવિનય સાદર વિનંતિ કરવા ઇચ્છું છું કે સમગ્ર પરિસ્થિતિનું અવલે કન કરવા અને શ્રમણુસંધનું બંધારણ વધારે વયવસ્થિત થતાં આપણો સકલસંધ એકત્ર થઈ શકશે અને એ રીતે આપણે • ઉન્નતિની દિશામાં એક મહાન પગલું ભરી શકીશું.
સાધ્વી સંધ ધાર્મિક પરિસ્થિતિનું આ અવકન પૂરું કરતાં એટલું જણાવવું જરૂરી માનું છું કે સ્ત્રીઓને પણ મુક્તિની અધિકારી માનીને આપણે ઉદારમાં ઉદાર દષ્ટિનો પરિચય આવે છે અને પરિણામે આપણામાં સાનસંઘ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે, પણ તેમના અભ્યાસ અને આધ્યાત્મિક વિકાસ પર જોઈએ તેટલું ધ્યાન અપાતું નથી, એટલે તે માટે ખાસ પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. જો આ દિશામાં યોગ્ય પ્રગતિ સધાશે તે તેમના સંપર્કથી આપણે નારીસમાજ પણ વિશેષ ઉન્નત થશે.
શિક્ષણવિષયક પરિસ્થિતિ. પાઠશાળાઓ, શાળાઓ અને છાત્રાલયો મારફત આપણે બાળકોને ધાર્મિક શિક્ષણ આપીએ છીએ, પરંતુ તેમાં ઉપર જણાવેલા ઔદાર્યાદિ ગુણો ખીલવવા માટે જે ભાર મૂકવો જોઈએ તે મૂકાતો નથી. પરિણામે ધાર્મિક શિક્ષણ લેનારમાં જે ઔદાર્ય, સહિષ્ણુતા, પાપભીસ્તા અને ચારિત્રની ખડતલતા આવવી જોઈએ, તે આવતી નથી. નિત્ય સામાયિક, પ્રતિક્રમણ કે પૂજાપાઠ કરનાર મનુષ્ય અભિમાન, આવેશ, કદાગ્રહ કે કુટિલતાને વશ કેમ થઈ શકે, એ મારી કલ્પનામાં આવતું નથી. એને અર્થ એ જ કે આપણે તે તે ક્રિયાઓ અને અનુષ્ઠાનની પાછળ રહેલા ગંભીર અને ઉદાર આશાને સમજતા નથી કે સમજવા છતાં શિક્ષાક્રમમાં ઉતારી શકતા નથી. સામાયિક, પ્રતિક્રમણ અને પૂજા અર્થ સમજતાં મને પિતાને વર્ષો લાગ્યા છે અને તે વિષે ભારે પરિશ્રમ કરે પડ્યો છે. ખાસ કરીને છેલ્લા ચાર વર્ષે તે મેં એનાં જ ચિંતન-મનનમાં ગાળ્યા છે. આથી મને ખાતરી થઈ છે કે-ધાર્મિક શિક્ષણના ક્રમનું સૂક્ષ્મતાથી પુનરાવલોકન કરવું જોઈએ અને તેને આપણા મહાપુરુષોએ પ્રતિપાદિત કરેલી ધર્મભાવનાની સાથે પૂરેપૂરો સંગત બનાવો જોઈએ.
આ ધાર્મિક શિક્ષણની પદ્ધતિ, ' ધાર્મિક શિક્ષણની પદ્ધતિ માટે બે શબ્દો કહું તે અસ્થાને નહિં ગણાય. પ્રાચીન ક્રમ એ છે કે પ્રથમ સૂની સંહિતા શીખવવી, પછી તેના પદ અને પદાર્થો શીખવવા તથા સામાસિક પદે છૂટા પાડી બતાવવા, પછી તેના પર પ્રશ્નો કરવા અને તેનું સમાધાન કરવું. પરંતુ આ કમને આજે લગભગ ભૂલી જવામાં આવ્યો છે. સંહિતા સચવાતી નથી,
For Private And Personal Use Only