Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ મો ] ધર્મનું ધ્યેય :: જીવનની સર્વાગી શુદ્ધિ. ૧૮૯ નહિ તે બીજું પરિણામ શું આવે? ધનની દરિદ્રતા કરતાં મનની દરિદ્રતા આપણને વિશેષ નુકશાન કરે છે, એ વાત કદી પણ ભૂલવા જેવી નથી. ધીરધાર, અનાજ અને કાપડનો ધંધો આપણા હાથમાં હતા, તે મોટે ભાગે મુંટવાઇ ગયો છે અને નજીકના ભવિષ્યમાં પાછો આવે તેમ દેખાતું નથી. વળી આપણા સમાજના ઘણા માણસોએ સટ્ટામાં પડીને પાયમાલી તરી છે. હાલની રાજનીતિ એવી છે કે પદાન તવને જેમ બને તેમ નાબૂદ કરવું અને ભવિષ્યમાં તે નોતિને વધારે ઉમપણે અમલ થશે એટલે સાચી વાત તો એ છે કે આપણા ભાઈઓએ સટ્ટાને ધધ છેડી દઈને વહેલામાં વહેલી તકે હુન્નર, ઉદ્યોગ કે બીજા કોઈ પણ પ્રામાણિક ધંધામાં જોડાઈ જવું. આગામી યુગ કૃષિકારે અને શ્રમજીવીઓને છે અને રાજ્યતંત્ર મોટા ભાગે તેમના જ હાથમાં આવશે, એટલે કાયદાઓ પણ તેને જ અનુકુળ ઘડાશે. આ સ્થિતિમાં આપણું સમાજે ખેતી-વાડી, કલા-કારીગરી અને હુન્નર-ઉદ્યોગ તરફ જેમ બને તેમ ઝડપથી વળવાની જરૂર છે. જેઓ આગામી યુગનાં એંધાણ પારખીને પોતાની રીતરસમ બદલશે તથા વેપારક્ષેત્રને વ્યવસ્થિત કરશે, તે પિતાનું ભાવી સલામત બનાવી શકશે. મધ્યમ વર્ગની કથળી ગયેલી સ્થિતિમાં તાત્કાલિક શું થઈ શકે, તે પણ વિચારવા જેવું છે. છેલ્લા બે ત્રણ વર્ષથી આ વિષયમાં ખૂબ ખૂબ ઉહાપોહ થયો છે ને કેટલીક યોજનાઓ અમલમાં આવી છે. આ યોજનાઓ કેટલાકને અધૂરી ને અસતેવકારક લાગે છે, પણ વાસ્તવિકતાની સપાટી ઉપર ઊભા રહીને અવલોકન કરીએ તે લાગે છે કેશરૂઆતમાં આથી વધારે સારી યોજનાઓ ભાગ્યે જ થઈ શકી હોત. આમ છતાં હવે આપણે શું કરવું ? તે વિષે હું બે શબ્દો કહીશ. (૧) સહુએ સ્વાશ્રયી થવાની ભાવના કેળવવી જોઇએ. (૨) ગમે તેવો શ્રમ કરતાં પણ અચકાવું ન જોઈએ. (૩) ઘરના માણસોએ ફુરસદના વખતમાં નાના નાના હુન્નરો કરવા જોઈએ અને એ રીતે આવકમાં વધારો કરવા જોઈએ. (૪) સાધર્મિક-વાત્સલ્યની ભાવનાને બને તેટલો વધારે પ્રચાર કર જોઇએ. (૫) સહકારી મંડળીઓ સ્થાપીને ભંડારો વગેરે ચલાવવા જોઈએ. (૬) જુદા જુદા પક્ષોએ ભેગા થઈને એક નાણાંકીય યોજના ઊભી કરવી જોઈએ, જેમાંથી વેપાર-ધંધા અંગે નાણુ ઉછીના આપી શકાય. (૭) આપણા કારખાનાંઓ તથા પેઢીઓની એક ડીરેકટરી બનાવવી જોઈએ અને લગાડનારું તથા વેપાર રોજગારની સલાહ આપનારું ખાતું ખેલવું જોઈએ. (૮) સસ્તાં ભાડાની ચાલીઓ બનાવવી જોઈએ. (૯) સસ્તાં ભેજનાલયો બોલવા જોઈએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28