Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. [ અશોક આવ કામેા કરવા માટે પુષ્કળ નાાંની જરૂર પડે, તે સ્વાભાવિક છે, તેથી હુ સર્વ જૈત ભાઇબહેનેાને વિન ંતિ કરું છું કે આપ બધા આ અત્યંત આવશ્યક કાર્યમાં આપના ઉદાર ફ્રાળા આપશે। અને સમાજ પ્રત્યેનું મહાન્ કમ્ બજાવ્યાને સતાષ પામશે. રાજકીય પરિસ્થિતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે આપણા દેશમાં આપણું રાજ્ય છે, એ સાભાગ્યના વિષય છે. તેનું સુકાન મહાસભાના કસાયેલા સેનાનીઓના હાથમાં છે, એ પણ આનંદની બીના છે. તેમના કુશળ નેતૃત્વ નીચે આપણેા દેશ આબાદીના રસ્તે આગળ વધશે, તેમાં મને જરા પણ શંકા નથી; પરંતુ આ બધી પ્રવૃત્તિઓમાં આપણુ સ્થાન કયાં ? તે વિચારવાની જરૂર છે. રાજકારણ પ્રત્યેની ઉપેક્ષા આપણા ધર્મ અને સમાજની રચના પર તથા વેપારરાજગાર પર ઊંડી અસર કરશે, એ વાત ભૂલવા જેવી નથી. તેથી હું જૈન સમાજને વિજ્ઞપ્તિ કરું છું કે તેણે રાજકારણ પ્રત્યેની ઉપેક્ષા છેાડીને કેન્દ્રસ્થ તથા પ્રાદેશિક સરકારોની સ પ્રવૃત્તિઓમાં રસ લેવે! અને તેની હિતકારી પ્રવૃત્તિઓમાં બને તેટલેા ફાળે આપવા. પબ્લીક ટ્રસ્ટસ એકટને લીધે સમાજના મોટા ભાગની લાગણી દુ:ખાયેલી છે અને તેની વંધાભરેલી કલમે સુધારી લેવામાં આવે તે જાતની વિનતિ સ્થળે સ્થળેથી મુબઇ સરકારને થયેલી છે, તે પર યોગ્ય ધ્યાન અપાશે, તેવી હું આશા રાખું છું. મધ્યસ્થ સરકાર તરફથી વાંદરા, હરણ વગેરે પશુઓની હિંસા કરવાનાં જે ફરમાને થઇ રહ્યાં છે, તે પણ ભારતીય પ્રજાની ધાર્મિક લાગણી દુ:ખાવનારાં છે, એટલે તે પાછા ખેંચી લેવાનો મધ્યસ્થ સરકારને વિનંતિ કરું છું. સાહિત્યવિષયક પરિસ્થિતિ આપણી ધાર્મિ ક, શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિનાં અવલોકન સાથે આપણી સાહિત્યવિષયક સ્થિતિનું અવલોકન કરવાની પણ જરૂર છે, કારણ કે આધુનિક યુગમાં ધ પ્રચાર માટેનુ તે મેટામાં મેટું સાધન છે, આ વિષયમાં પશુ આપણે ખૂબ પાછળ છીએ. દર વર્ષે` પ્રકાશકા તરફથી જુદી જુદી ગ્રંથમાળાઓ અને ઘણું સાહિત્ય બહાર પડે છે, પણુ તેમાં નથી હાતી સંપાદનની કળા, નથી હતુ શુદ્ધ અને વ્યવસ્થિત લખાણુ, નથી હોતી મુદ્રણકળાની સુંદરતા કે નથી હાતા આકર્ષક દેખાવ ! એટલે ખના પ્રમાણુમાં કઇ સંગીત ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. જો જૈન ધમ અને સ ંસ્કૃતિનાં વિવિધ અંગેા પર વેધક પ્રકાશ પાડતું સરળ, રુચિકર અને આકર્ષીક સાહિત્ય બહાર પાડવામાં આવશે તે હુ માનુ છું કે સુશિક્ષિત સમાજનાં માટેા ભાગ જૈન ધર્મ અને જૈન સસ્કૃતિ પ્રત્યે અભિરુચિવાળા થશે અને એ રીતે આપણી ' સવી જીવ કરું શાસનરસી’વાળી પુરાતનપ્રાચીન ભાવનામૂર્તિ ત થશે તથા આપણા ધમ અને સંસ્કૃતિ પર અધત આક્ષેપે થવાના વખત જ આવશે નહિ. પાટણ, જેસલમીર વગેરે સ્થળેાએ જ્ઞાનભડારામાં રહેલી પ્રતિની વ્યવસ્થિત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28