________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મો ]
ઐક્યની ભૂમિકા ઊભી કરો!
[ ૧૯૩
એકત્ર થયા છે, તેથી મને ખાત્રી છે કે આપ એ દિશામાં ગંભીર વિચારણાઓ કરશો અને એવા નિર્ણય પર આવશે કે જેથી આપણું ભાવી ઉજજવળ અને પ્રગતિમય બને. આ તકે આપ બધાને હું એક વિનંતી કરું તે તે અસ્થાને નહિ ગણાય. જૈન ધર્મને અને સંસ્કૃતિને અપનાવનાર કોઈપણુ દેશ કે જ્ઞાતિની વ્યક્તિ હવે જૈન ગણાવી જોઈએ અને તેને જૈન તરીકેના સર્વ સામાજિક હક્કો પ્રાપ્ત થાય એવી જાહેરાત હવે આપણે કરવાની રહેશે. આમ કરવાથી જૈન ધર્મ પ્રત્યે મમત્વ રાખનારા હજારો ભાઈબહેનને માર્ગ મોકળે થશે. હવે સમય આવી લાગે છે કે જ્યારે આપણા ધર્મને વિશ્વભરમાં વિસ્તાર પારો અને એમ થશે તો જ આ કોન્ફરન્સની સ્થાપના પાછળનો હેતુ સચવાશે.
જૈન ધર્મ તે સ્વાદાદને છે અને દેશકાળ પ્રમાણે આપણે વિવેક વાપરી એને વિસ્તારો જ રહ્યો. તે આજથી જ આપણે કાં ન જાગીએ ? આમ જ્યારે આપણા ધર્મને વિશ્વભરમાં વિસ્તારવાનો વિચાર કરીએ છીએ ત્યારે સહેજે જ આપણુ જૈન સમાજની, અને તેમાં પણુ શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગની એકતાને પ્રશ્ન આપણી સામે આવીને ઊભા રહે છે. વેતાંબર મૂર્તિપૂજક વિભાગમાં પણ આજે કેટલા બધા તડ છે ? આપણા વર્ગને સ્પર્શતા સવાલોને આપણે બધા સાથે મળીને વિચાર પણ કરી શકતા નથી. આ સ્થિતિ હવે સત્વર દૂર થવી જોઇએ. આખા જૈન સમાજમાં એકતાની ભાવના ઊભી કરવા પાછળ પણ આપણા ચિત્તને કેન્દ્રિત કરવું જોઈએ. આ માટે જેને જેનો વચ્ચે રટી બેટીને વ્યવહાર ૫ણુ હવે સહજ અને સરળ થ જોઈએ. આપણુ મહાન પર્વો પણ એક સરખા દિવસે ગોઠવાવા જોઈએ, ભિન્ન ભિન્ન સંપ્રદાયના સાધુ મુનિરાજોને જુદા રાખતી દીવાલ હવે એકદમ દૂર થવી જોઈએ. આવી એકતાની ભૂમિકા ઉભી કરવામાં નહિ આવે ત્યાં સુધી જૈન ધર્મને બહુમાન્ય બનાવવાનું સ્વપ્ન કદિ ૫ણ આપણે સિદ્ધ કરી શકીશું નહિ.
ઘર આંગણેના કેટલાક સળગતા સવાલનો પણ આપણે હવે ઉદાર ચિત્તે નિકાલ લાવ પડશે. એક જ ધર્મ અને માર્ગને અનુસરતો આપણે મૂર્તિપૂજક સમાજ ચોથ અને પાંચમની તીથીના પ્રશ્નના યોગ્ય નીકાલના અભાવે વહેચાએ રહે એ હવે જમાનાને અનુરૂપ નથી. દીક્ષાર્થીઓની યોગ્યતાના પ્રશ્નને સવેળા ઉદારચિત્તે નિકાલ લાવીશું તે જ આપણુ પોતાના અને દેશના સર્વાગી વિકાસમાં યોગ્ય ફાળો આપી શકીશું.
આપણુ કોન્ફરન્સના ગત અધિવેશનએ શ્રાવક શ્રાવિકા ક્ષેત્રના ઉત્કર્ષ માટે કરેલ ઠરાવ હવે વિસ્તૃત વિચારણા માગી લે છે. એ દિશામાં છેલ્લા એક વર્ષના ગાળા દરમ્યાન થયેલા પ્રયાસે આવકારદાયક છે. ૫ણ એટલેથી ધારેલી તેમ જલદી ન પહોંચાય એ આપ સૌ સમજી શકશે. આપણા સમાજે શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે ઝડપી વિકાસ સાધવો જ પડશે અને તેમ કરતાં કરતાં રાજકીય ક્ષેત્રે વિકાસ પામતાં, ધંધા વેપાર અને ઉદ્યોગોમાં આગળ વધવું પડશે. આમ કરશું તે જ દેશની સમૃદ્ધિમાં ઠીક ઠીક પ્રમાણમાં વધારે કરી શકીશું અને શ્રાવક શ્રાવિકા ઉત્કર્ષ કરવાની આપણી સૌની સંભાવના બર આવી શકશે. આ૫માંના ઘણા ભાઈઓંને દેશના દૂર દૂરના ભાગમાંથી અગવડ અને અડચણ
For Private And Personal Use Only