________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ વિજયસૂરિની પ્રશસ્તિ છે. આ સ્થાન શાહબાગના નામથી ઓળખાય છે અને ત્યાં એક જૈન દહેરાસર બાંધવામાં આવ્યું છે. એ સ્થાનમાં જે સંસ્કૃત લેખ છે તે નીચે પ્રમાણે છે:
“આ પવિત્ર હીરવિજયનાં પાદૂચિહનો છે. એ એમની સમાધિ ઉપર આલેખાયાં છે. એ પાચિહ્નો પવિત્ર હીરવિજય જે જગતગુરુ હતા અને જેમણે શત્રુ જ્યની યાત્રા કરી હતી અને જે યાત્રામાં દેશદેશના યાત્રીઓ સામેલ હતા અને જેમણે ભાદરવા સુદ એકાદશીના દિવસે નિર્વાણ મેળવ્યું હતું અને જયાં એમને અગ્નિદાહ દેવા એ સ્થાને આમ્રવૃક્ષોમાં તરત જ ફળ આવ્યાં હતાં. એમના અનેક ગુણે વિષે સાંભળીને એમના તપ, ત્યાગ ઈત્યાદિથી આકર્ષાઈને શહેનશાહ અકબરે એમને દિલ્હી પ્રદેશમાં આવવા આમંત્રણ આપ્યું હતું અને જીવહિંસા બંધ કરાવી હતી શત્રુંજયના યાત્રીઓ ઉપરને મુંડકાવેરો બંધ કરાવ્યો હતો અને જજિયાવેરો પણ બંધ કરાવ્યો હતો. આ પગલાં પંડિત મેઘાએ, એમનાં પત્ની લાડકીએ અને એમના અન્ય કુટુંબીઓએ મુકાવ્યાં છે અને તેને અર્પણવિધિ
For Private And Personal Use Only