________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
૩૭
તેમ તેમને તુચ્છકારવા નહિ. વળી જે તેમાંનુ [મંદિરે કે ઉપાશ્રયેામાંનુ]કઈ પડી ગયુ કે ઉજજડ થઈ ગયું હાય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઈ તેને સુધારવા કે તેના પાયા નાખવા ઇચ્છે, તેા તેના, કાઈ ઉપલક જ્ઞાનવાળાએ (અજ્ઞાનીએ) કે ધર્માન્ચે અટકાવ પણ કરવા નહિ અને જેવી રીતે ખુદાને નહિ આળખનારા, વરસાદને અટકાવ અને એવાંખીજા કામેા કે જે ઈશ્વરના અધિકારનાં છે, તેના આરોપ, મૂર્ખાઈ અને બેવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને એળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કો આપે છે; એવાં કામેા તમારા રક્ષણ અને બંદોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહેાશ છે, થવાં જેઈએ નહિ. વળી એમ પણ સાંભળવામાં આવ્યુ છે કે, હાજી હબીબુલ્લાહ કે જે અમારી સત્યની શોધ અને ખુદાની એળખાણ વિશે થોડુ જાણે છે, તેણે આ જમાતને ઈજા કરી છે, એથી અમારા પવિત્ર મનને, કે જે દુનિયાના બંદોબસ્ત કરનાર છે, ઘણું ખાટુ લાગ્યુ છે (દુ:ખનું કારણ
For Private And Personal Use Only